નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં પતિ-પત્ની અને વોનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતિને છોડીને પ્રેમી સાથે લગ્ન કરવા ઘરેથી નીકળેલી મહિલાને તેનો પ્રેમી એકલી જ હોટલના રૂમમાં મૂકીને જતો રહ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પરિણિતાએ પતિને છોડીને પ્રેમી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જોકે પ્રેમી તેને હોટલમાં જ છોડીને જતો રહ્યો હતો. જેથી મહિલાએ અભયમ ટીમને ફોન કરીને ફરીથી પતિ અને બાળકો પાસે જવાની માંગ કરી હતી. સુનિતા નામની મહિલાએ 181 અભયમ ટીમને વેરાવળ તાલુકાની એક હોટલમાંથી ગભરાયેલા ફોન કરી જણાવ્યું કે મારો પ્રેમી મને લગ્નની લાલચ આપી હોટલમાં મૂકીને જતો રહ્યો છે.
તેથી તમે લોકો અહીં આવી મને અહીંથી લઇ જાઓ. મહિલાના ફોન પર અભયમની ટીમ તાત્કાલિક ત્યાં આવી પહોંચી આવી હતી અને પરિણિતાની પૂછપરછ હાથ ધરી હતી.મહિલા અભયમની ટીમે સમગ્ર વિગતો જવાવવાનું કહેતા પરિણિતાએ જણાવ્યું કે તેના પ્રેમીએ તેની સાથે દગો કર્યો છે. પ્રેમીએ રૂપિયા માટે લગ્નની લાલચ આપી અને પતિ તથા બાળકથી અલગ કરી અહીં હોટલમાં લઈ આવ્યો હતો.
ત્યારબાદ તે બેગમાથી દાગીના અને રૂપિયા લઈને લગ્ન કરવાને બદલે અહીં એકલી મૂકી ગાયબ થઇ ગયો છે.આ ઘટના બાદ મહિલાને પોતાની ભૂલનો અહેસાસ થયો લાલચી વ્યક્તિ સાથે રહેવા માટે પતિ અને બાળકોને એકલા મૂકી દીધાનો અફસોસ થવા લાગ્યો હતો. મહિલાએ રડતા- રડતા અભયમની ટીમને જણાવ્યું કે મારે મારા પતિ અને બાળક પાસે જવું છે.
તમે મારા પતિને સમજાવો.ત્યારબાદ મહિલા અભયમની ટીમ મહિલાને હોટલથી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને મહિલાના પતિને પણ ત્યાં બોલાવ્યો હતો અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.અભયમની ટીમે પતિને મહિલાની ઉંમર હજુ નાની છે, તેથી ભ્રમિત થઇ ગઈ હતી તેવું જણાવીને પતિને તેની પત્નીને માફ કરવા કહ્યું હતું.
જ્યારે પતિએ પણ મોટું મન રાખીને પત્નીને માફ કરી દીધી હતી અને ફરીથી ઘરમાં સ્થાન આપ્યું હતું.વધુ માહિતી આપતા તમને જણાવીએ કે અન્ય સાથે સબન્ધ બાંધવો તે ધર્મ ના વિરુદ્ધ હોય છે અને દુનિયા ની નજર માં તે તેમનું સમ્માન ખોઈ બેસે છે.આ કિસ્સામાં બન્યું એવું કે, એક પરીણિત મહિલા પોતાના પતિ સાથે કાંઈક એવું કરે છે, જેના વિષે એના પતિએ ક્યારેય વિચાર્યુ પણ નહિ હોય. એને એ વાતનો જરા પણ અંદાજો નહિ હોય કે તેની પત્ની તેની પીઠ પાછળ આવું પગલું ભરી લેશે.જણાવી દઈએ કે તે વ્યક્તિની પત્ની પોતાના બોયફ્રેન્ડ માટે પતિને છોડી દીધો.
પણ થયું એવું કે થોડા દિવસો પછી એના બોયફ્રેન્ડે એને દગો આપી દીધો. મળેલી જાણકારી અનુસાર આ ઘટના થોડા સમય પહેલાની છે. પોલીસે જણાવ્યું કે મહિલા પરણિત છે, અને આરોપી શીવદલાલ યાદવે તેને પોતાના પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કરવાંની લાલચ આપી હતી.એ આરોપીએ મહિલાને એવું કહ્યું હતું કે, તે તેની સાથે લગ્ન કરીને રહેશે અને તેને પત્નીનો હક્ક પણ આપશે. એવું સાંભળ્યા પછી એ મહિલા તેની સાથે જવા માટે રાજી થઇ ગઈ.
પરંતુ તેને શું ખબર હતી કે તે વ્યક્તિ તેનો ફાયદો ઉઠાવી રહ્યો છે. આરોપીએ મહિલાને રાયપુર નાકા ક્ષેત્રમાં પોતાના બનેવીના મકાનમાં રાખી હતી.અને એટલું જ નહિ, તે વ્યક્તિ મહિલા સાથે શારીરિક સંબંધ પણ બનાવતો હતો, અને બીજું તો ઠીક તે તેની સાથે બે મહિના સુધી રહ્યો અને પછી એ મહિલાને છોડીને ત્યાંથી જતો રહ્યો. મહિલાએ તેની સાથે રહેવા ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ આરોપીએ એની સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના કહી દીધી.
પછી પીડિત મહિલાએ આરોપી શિવદયાલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી. એવું થયા પછી આ મહિલાની ફરિયાદ પર પદ્મનાભપુર પોલીસ ચોકીમાં દુષ્કર્મનો કેસ દાખલ થયો. ત્યારબાદ આરોપી અરસનારા નિવાસી શિવદયાલ યાદવની ધરપકડ કરી લેવામાં આવી. તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો જ્યાં કાયદાકીય રિમાંડ ઉપર તેને જેલમાં મોલકી દેવામાં આવ્યો.આ બધું થયા પછી એ મહિલાનું કહેવું છે કે, તેણે એ છોકરાને કારણે જ પોતાનું સાસરું છોડી દીધું છે,અને તે ત્યાં ફરી વખત જઈ નથી શકતી.
એટલું જ નહિ આ ઘટના પછી તેણે પોતાના સંબંધિઓ સાથે સંપર્ક કર્યો, પરંતુ તેની મદદ માટે કોઈ તૈયાર ન થયું. અને મહિલાએ પોતાની સાથે થયેલ દગાની ફરિયાદ મોડેથી કરવાને કારણે, એણે જ્યાં ત્યાં ભટકવું પડયું હતું એવું પણ જણાવ્યું છે.ઘણું બધું દુઃખ સહન કર્યા પછી તેણે પોલીસની મદદ લીધી અને તે છોકરાની ધરપકડ કરાવી, જેથી તે આગળ જઈને બીજાનું જીવન બરબાદ ન કરી શકે પણ બીજા આવા સમાચાર આપણને હંમેશા સમાચાર પત્રોમાં વાંચવા મળી જ જાય છે.
આમ મિત્રો ઘણા કિસ્સા તો એવા હોય છે જે સમાચાર માં પણ જોવા મળતા હોય છે.ત્યારબાદ મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજ્યના મેટ્રોસીટી અમદાવાદમાં પ્રેમીઓના અનોખા કિસ્સાઓ સામે આવતા રહે છે, એવામાં એક અજીબોગરીબ કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં લગ્નજીવનનાં 8 વર્ષ બાદ એક પત્ની પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું સામે આવે છે એટલું જ નહીં બન્ને ભાગી છૂટ્યા બાદ પત્નીના પ્રેમીએ પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.
આ મામલે પતિએ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.અમદાવાદના વેજલપુરનો આ કિસ્સો છે. જ્યાં સંગીત ટીચરનાં પત્ની એક બ્યુટીશીયન હતા. તેઓનાં લગ્નજીવનને 8 વર્ષ થયા હતા. પણ તેઓની પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો.8 વર્ષ બાદ પાંગરેલાં આ પ્રેમમાં બ્યુટિશિયન પત્ની પતિને છોડીને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી એટલું જ નહીં, તેના પ્રેમીએ સંગીત ટીચરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જાનથી મારી નાખવાની ધમકી પતિએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, 8 વર્ષ બાદ પત્ની ભાગી જતાં આ સમગ્ર કિસ્સાએ પંથકમાં ભારે ચકચાર મચાવી છે. આઠ વર્ષના લાંબા સમયગાળા બાદ એવું તો શું થયું હશે કે બન્ને ભાગી છૂટ્યા તેવી ચર્ચાઓ થવા લાગી છે.ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ સાથે ખરીદી કરવા ગયેલી પત્ની પ્રેમી સાથે ભાગી ગઈ તો ચાલો મિત્રો જાણીએ.
લગ્નજીવનમાં સંતાનો હોવા છતાં પણ પરિણીતા તેના પ્રેમી સાથે પતિને છોડી ભાગી ગઈ હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં એક પરિણીતા તેના પિતાના ઘરે રોકાવા માટે આવી હતી અને જ્યારે પતિ તેને લેવા માટે ગયો તે સમયે પરિણીતા પતિને ખરીદી કરવી હોવાનું કહી માર્કેટમાં લઈ ગઈ હતી માર્કેટમાં ભીડનો લાભ ઉઠાવી પરિણીતા પતિને છોડી તેના પ્રેમી સાથે ભાગી ગઇ હતી.
આ સમગ્ર મામલે પરિણીતાના પિતાએ પરિણીતાને ભગાડી જનાર યુવકના ઘરે આ બાબતે જાણ કરતા યુવકના પરીવારજનોએ પરિણીતાના ભાઈને માર માર્યો હતો. જેથી સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે પરિણીતાને ભગાડી જનાર યુવક સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી રિપોર્ટ અનુસાર અમદાવાદના સરદારનગર વિસ્તારમાં 63 વર્ષના આધેડ પશુપાલનનો વ્યવસાય કરે છે.
આધેડને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે. આધેડે દીકરીના લગ્ન 8 વર્ષ પહેલા કરાવી દીધા હતા અને હાલ દીકરીને પણ બે સંતાનો છે. લગ્ન પછી પરિણીતા અવારનવાર તેના માતા-પિતાના ઘરે મળવા માટે આવતી હતી.પરિણીત માતા-પિતાના ઘરે આવી ત્યાર પછી અમદાવાદમાં એક યુવક સાથે તેની આંખ મળી ગઈ હતી.તો બીજી તરફ પરિવારને શંકા હતી કે, નજીકમાં રહેતા ચિંટુ નામના યુવક સાથે દીકરીનો પ્રેમ સંબંધ છે.થોડા દિવસો પહેલા જ પરિણીતા તેના માતા-પિતાને મળવા માટે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવી હતી.
જેથી 13 જૂલાઈના રોજ પતિ પત્નીને લેવા માટે સસરાના ઘરે આવ્યો હતો. પતિ આવ્યો તે સમયે પત્નીએ ખરીદી કરવા માટે જવાનું કહ્યું. તેથી પતિ-પત્નીને અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલી માર્કેટમાં પત્નીને ખરીદી કરવા માટે લઈ ગયો હતો.જે સમયે પતિ પત્ની ખરીદી કરી રહ્યા હતા. તે સમયે પત્નીએ પુત્ર માટે એક વસ્તુ લેવી છે, તેવું કહીને પતિ પાસેથી થોડી દૂર ગઈ હતી અને ત્યારબાદ પતિને મૂકી પરિણીતા તેના પ્રેમી સાથે ભાગી ગઇ હતી અને આ વાતની જાણ થતાં તે તાત્કાલિક પતિ સાસરે આવ્યો હતો
અને પરિણીતાના માતા-પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. માતાપિતાને ચીંટુ નામનો યુવક દીકરીને ભગાડી ગયો હોવાની શંકા હોવાથી તેઓ ચીંટુના ઘરે ગયા હતા અને તેના માતા-પિતાને ચીંટુ તેમની દિકરીને ભગાડી ગયો હોવાની જાણ કરી હતી. આ સમગ્ર મામલે ચીંટુ અને તેના પરિવારજનોએ યુવતીના ભાઈની સાથે મારામારી પણ કરી હતી અને સમગ્ર મામલો વધારે ઉગ્ર બનતા પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો.