HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home હેલ્થ

ગમે તેવી જૂનમાં જૂની શીળસ, ધાધર,ખરજવું અને ચામડીના દરેક રોગ જીવનભર છુટકારો

Team GujjuClub by Team GujjuClub
October 30, 2021
in હેલ્થ
505 6
0
ગમે તેવી જૂનમાં જૂની શીળસ, ધાધર,ખરજવું અને ચામડીના દરેક રોગ જીવનભર છુટકારો
702
SHARES
3.2k
VIEWS
Share on FacebookShare on Twitter

માણસને જુદીજુદી રીતે હેરાન કરતી એલર્જીની બીમારીઓમાં ૨૦% લોકોને જિંદગીમાં એક વખત ચામડીની એલર્જી જેને શીળસ કહેવામાં આવે છે તેનાથી હેરાન પણ થવું પડે છે. તેમાં સ્ત્રીઓમાં પુરુષો કરતાં આનું પ્રમાણ વિશેષ જણાય છે. બાળકો પણ આ તકલીફથી પીડાય શકે છે.

દર્દી જેવો એલર્જનના સંપર્કમાં આવે કે તરત જ ચામડી ઉપર ખંજવાળ ચાલુ થાય છે. લાલ કલરના ઊપસી આવેલાં, કિનારી બંધાયેલાં ચાઠાં જોવા મળે છે. જે જુદીજુદી જગ્યાએ જુદાજુદા આકારના અને જુદા જુદા સાઈઝના જણાય છે. તે આપમેળે બેસી જાતા હોય છે.

શીળસ નીકળે પછી ૪૮ કલાકમાં આપમેળે બેસી જતી બીમારી છે, પરંતુ તે વખતે એન્ટિહિસ્ટામીન’’ દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે. સામાન્ય રીતે લોરાટીડીન, સેટ્રીઝીન વગેરે દવાઓ અપવા માં આવે છે.

શીળસના દર્દીએ કડવા લીમડાંના પાણીથી સ્નાન કરવું જરૂરી છે, કરંજ તેલનું માલિશ કરવું અને લોહીને શુદ્ધ કરનાર ઔષધયોગોનું તબીબી સલાહ લઈને સેવન કરવું જોઈએ, કારેલા, પરવળ, દૂધી, મગ, ભાત ખીચડી, મેથીની ભાજી, પાલક તાંદળજાની ભાજી ભોજન માં ઉપયોગ માં લઈ શકાય. કાળાં મરીનું ચૂર્ણ શુદ્ધ ઘીમાં મેળવી સવાર સાંજ લેવાથી પણ લાભ થઈ શકે છે.

આદુના રસ સાથે જૂનો ગોળ લેવાથી શીતપિત્ત મટે છે. પ્રવાલભસ્મ એક ગ્રામ, ગળો સત્વચાર ગ્રામ મિશ્ર કરી ત્રણ પડીકા બનાવવી એક એક પડીકું સવારે બપોરે અને રાત્રે લેવાથી રાહત મળે છે.

શરીરમાં જ્યાં ત્યાં ચામડી પર લાલ ચકામાં ઉપસી આવે છે અને તેમાં બહુ જ ખંજવાળ તથા બળતરા થાય છે. તમે એમનું નિદાન અર્ટિકારીયા એટલે કે શીળસ કરેલું છે.શીળસને મટાડવા માટે આયુર્વેદ તેના મૂળ સુધી પહોંચે છે. પાચનને નબળું પાડતા ખોરાકને થોડા સમય સુધી બંધ કરવાનો રહે છે.

માત્ર ખાદ્યચીજોથી પણ એલજી પેદા થાય છે એવું નથી. ઘણાં ઔષધો પણ વિક્રિયા પેદા કરે છે. આયુર્વેદમાં ભિલામો એક એવું ઔષધ છે, જેને અનુકૂળ ના આવે તેમને શીળસ થઈ શકે છે, બરાબર નહીં બનેલી ભસ્મોથી પણ આવું કોઈ શકે છે. આધુનિક તબીબીશાસ્ત્રનાં ઔષધો જેમ કે એન્ટિબાયોટિક્સ ક્વિનાઈન વગેરેની આડઅસર રૂપે શીળસ થતું હોય છે અથવા તો વધ તું જાય છે.

ઘણાં લોકો ને આખા શરીરની ચામડી પર લાલ ચકમા ઉપસી આવે છે, ચહેરા પર અને આંખની આસપાસ સોજો આવે છે. ત્યાં ખૂબ ખંજવાળ આવે છે, બળતરા થાય છે. આને ‘એલર્જી’ ના ચકામા કહેવાય છે. થોડા દિવસ રહે અને જાતે મટી જાય. ઘણી વસ્તુઓથી એલર્જી થઈ શકે છે. અમુક દવા-ઇન્જેકશનથી, અમુક ખોરાકથી, ઘરેણાથી, ઘાસથી, ધૂળ-ધૂમાડા કે રસાયણથી… શરીરને જે માફક ન આવતી હોય તે વસ્તુ શરીરને અડે કે શરીરમાં દાખલ થાય તો ચામડી પર લાલ ઉપસેલા ચકામા જોવા મળે છે.

હળદર અને કડુનું મિશ્રણ શીળસ તથા એલર્જી માટે ઉત્તમ છે. એક ગ્રામ કડુ અને બે ગ્રામ હળદરનું મિશ્રણ સવારે સાંજે પાણી સાથે લેવું. ખાપરિયુ- લઘુવસંત માલતીમાં ખાપરીયું અને મરી છે. ખાપરિયું એ ઝિન્ક ઓક્સાઈડ છે, જે પિત્તશામક છે તથા જિંક એ ઇમ્યુનિટી વધારનાર છે. મરી અધપક્વ રસને પચાવીને એલર્જી -શીળસને મટાડ વા માં મદદરૂપ છે.

લોકભાષામાં શીળસ નામથી ઓળખાતી આ વ્યાધિને આયુર્વેદમાં શીતપિત્ત નામ આપવામાં આવેલું છે. ચોમાસામાં ત્વચાગત વિકારોનું પ્રમાણ વધી જાય છે શીળસ પણ એક ત્વચાગત વિકારોમાંનો એક વિકારમાનવામાં આવે છે.

શીળસ જેવી એલર્જી માં ચામડી ઉપર ભમરી કે મધમાખીના દંશ જેવા ચકામા ઉપસી આવે છે. શીળસ શરૂઆતમાં શરીરના ખુલ્લા ભાગ ઉપર થાય છે અને ધીમે ધીમે સમગ્ર શરીર ઉપર ફેલાવા લાગે છે. આ ચકામા અનિયમિત આકારનાં અને લાલાશ પડતાં હોય છે. રોગની તીવ્રવસ્થામાં ખંજવાળ અને પીડા ઉપરાંત ઊલટી, તાવ, દાહ આદિ લક્ષણો પણ જોવા માં આવે છે.

શીળસ ના દર્દી એ કડવા લીમડાંના પાણીથી સ્નાન કરવું જોઈએ. મરિચ્ચાદિતેલ-કરંજ તેલનું માલિશ કરવું અને લોહીને શુદ્ધ કરનાર ઔષધયોગોનું તબીબી સલાહ લઈને સેવન કરવા થી પણ લાભ થય શકે છે.

શીળસ એકદમ વિચિત્ર વ્યાધિ છે. થોડીવાર પહેલાં કંઈ ના હોય અને અચાનક જ શરીરમાં એકદમ ઢીમચાં થઈ જાય છે. પુષ્કળ ખંજવાળ આવવાં લાગે છે. ઢીમચાં લાલચોળ થઈ જાય છે. અને પાછા ચોક્કસ સમયે બેસી જાય છે તે શીળસ ના લક્ષણ માનવામાં આવે છે.

શીળસ ના દર્દી એ ઠંડા પાણીથી સ્નાન ન કરવું. શરીર ઉપર સીધી -ઠંડી હવાનો સ્પર્શ ના થાય તેનું ધ્યાન રાખવું. -તડકામાં ના ફરવું . દહી-છાશ, આમલી, ખાટાં ફળો, કેળાં, હાંડવો, ઢોકળાં, ખમણ જેવા આથાવાળા પદાર્થો બંધ કરવા. વિરૂદ્ધ આહાર વિહારનો ત્યાગ કરવો, ઇંડા માંસ-મટન બંધ કરવું. કઠોળ, દહી, શ્રીખંડ મીઠાઈનો સદંતર ત્યાગ કરવો જરૂરી છે.

હવામાં ઊડતી પરાગરજ, ફૂગ, ધૂળની રજકણ, અવાવરુ રજના શ્વાસમાં જવાથી, શ્વસનતંત્રની એલર્જી સાથે કે તેના વગર શીળસ ઉત્પન થઈ શકે છે. ચામડી પર લગાડેલી દવાના સંસર્ગથી કે રસાયણ, કોસ્મેટિક, દાગીના, ડાયપર, કૃત્રિમ રેસાનાં કપડાં, ડાઘા સાથેનાં કપડાં વગેરેના સંસર્ગથી તરત જ ચામડી પર ખંજવાળ ઊપડી લાલ ચાઠાં સાથે એલર્જી થાઈ તો તેને શીળસ કહી શકાય છે.

શરીરમાં રહેલા કેટલાક રોગો જેવા કે લોહીનું કેન્સર, લીમ્ફોમા, હાઈપર થાઇરોઈડ વગેરેને લીધે પણ શીળસ થતી જણાય છે.છેલ્લે માનસિક કારણો જેવાં કે તનાવ, દબાણ, ચિંતા, શોક વગેરે ને લીધે પણ એલર્જી વધતી જાય છે અને શીળસ નો હુમલો પણ વધતો જાય છે.

શીળસ-શીળવાના દર્દીએ અરણીનું મુળ પાણીમાં ઘસીને એક ચમચી જેટલું એટલા જ ઘી સાથે પીવું. ૧૦૦ ગ્રામ કોકમને પાણીમાં ભીંજવી રાખી, ગાળી, તેમાં જીરુ અને ખાંડ નાખી પીવાથી શીળસ મટે છે. ચારોળી દુધમાં વાટી શરીરે ચોપડવાથી શીળસ મટે છે. અડાયા છાણાની રાખ શરીરે લગાડી ઓઢીને સુઈ જવાથી શીળસ મટે છે. સાજીખાર મિશ્રિત પાણી શરીરે લગાડવું અથવા સરસિયા તેલથી માલિશ કરવું અથવા જવખાર અને સિંધાલૂણ મેળવેલ સરસિયા તેલથી શરીર પર માલિશ કરવી જરૂરી છે જેથી આરામ મળે છે.

શીળસ ના દર્દી એ આદુના રસ સાથે જૂનો ગોળ લેવાથી શીતપિત્ત(શીળસ) મટાડી શકાય છે પ્રવાલભસ્મ એક ગ્રામ, ગળો સત્વચાર ગ્રામ મિશ્ર કરી ત્રણ પડીકા બનાવવી એક એક પડીકું સવારે બપોરે અને રાત્રે લેવું. પા ચમચી ત્રિકટુચૂર્ણ સાથે એક ચમચી સાકર મેળવી દિવસમાં ત્રણથી ચાર વાર લેવું. ગોળ અને અજમો મિશ્ર કરી અડધીથી એક ચમચીની માત્રામાં સવારે અને રાત્રે ખૂબ ચાવીને ખાવો.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.
સમાચાર

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

7 months ago
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..
સમાચાર

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

7 months ago
આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..
સમાચાર

આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..

7 months ago
હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.
સમાચાર

હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.

7 months ago
માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..
સમાચાર

માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..

7 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In