અમીર બનવાનું સપનું બધાનું હોય છે, પરંતુ કેટલાક લોકો આ સપનાને સાકાર કરવા માટે પ્રયત્ન કરે છે. જો તમે પણ ધનવાન બનવાનુ સપનુ જોવો છો અને સાકાર કરવા માગો છો તો બસ નીચે બતાવેલા છ રહસ્યોનુ પાલન કરો. આ ચમત્કારી રહસ્યોને જાણ્યા પછી તમને કોઈ અમીર બનવાથી રોકી શકશે નહિ.
પહેલું રહસ્ય
પોતાને અમીર સમજો લો.ઓફ.એટ્રેકશન.અનુસાર જે તમે વિચારો તે તમે બનો છો. જો તમારો વિચાર કંઈક મોટુ બનવાનું છે તો તમારી જીવનમાં મોટી વસ્તુ હાસિલ કરવાની છે. એટલા માટે તમે તમારી જાતને ધનવાન માનસ સમજો અને તમારા જીવનને અમીર વ્યક્તિની જેમ જ જીવો ક્યારેય પણ પોતાના અમીર વ્યક્તિથી ઓછું ના સમજો. પોતાની જાતને અમીર સમજો તો તમને અમીરનો અહેસાસ થશે.આવી જ રીતે પોતાની જાતને ગરીબ માનવાથી તમે હમેશાં ગરીબ જ રહેશો.
બીજુ રહસ્યભગવાનનો આભાર માનવો. લોકોને જયારે કંઈ પણ જોઈએ છે ત્યારે તે ભગવાન પાસે જઈ પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી અને ભગવાન લોકોની પ્રાર્થના સાભંળે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જે પોતાની મનોકામના પુરી થયા પછી ભગવાનનો આભાર પણ નથી માનતા, જો કે એકદમ ખોટું છે.જો તમે તમારા જીવનમાં કંઇ પણ પ્રાપ્ત ભગવાન અને સંસારનો આભાર જરૂર માનવો.
ત્રીજું રહસ્ય
રાત્રે રૂપિયા ગણીને મુકવા દરરોજ રાત્રે રૂપિયા ગણીને સુઈ જવું ઘણું શુભ ગણવામાં આવે છે અને એવું કરવાથી ધનમાં વધારો થાય છે. એટલે તમે પણ રાત્રે સુતા પહેલાં એક વખત પૈસાનું બંડલ ગણીને તીજોરીમા કે કબાટમા મૂકીદો. તમે રોજ રાત્રે સૂતા પહેલાં આ કામ કરીદો. સતત બે મહિના સુધી આવું કરવાથી તમારા પર લક્ષ્મી માં ની કૃપા બની રહેશે.
ચોથું રહસ્ય
ધરના વાસ્તુશાસ્ત્ર પર આપો ધ્યાન વાસ્તુશાસ્ત્રમાં ઘણી તાકાત હોય છે અને ઘરનું વાસ્તુશાસ્ત્ર બરાબર હોવાથી જીવનમાં ધન અને ખુશીઓની ક્યારે પણ કોઈ કમી થતી નથી અમિર બનવા માટે તમે તિજોરીથી જોડાયેલા વાસ્તુશાસ્ત્ર ધ્યાન આપો અને જોવી કે તમારા ઘરની તિજોરી વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરે છે કે નહીં. વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ તમારી તિજોરી હંમેશા ઉત્તર દિશામાં જ હોવી જોઈએ, કારણે કે ધન દેવતા કુબેરજી નું નિવાસ સ્થાન ઉતરદિશાજ હોય છે તમારી તિજોરીની અંદર લક્ષ્મીમાંની ફોટો પણ જરૂર લાગી હોવી જોઈએ.વાસ્તુશાસ્ત્રના આ નિયમોનું પાલન કરવાથી તમને અમીર બનવાથી કોઈ નહીં રોકી શકે.
પાંચમું રહસ્ય
દિલ ખોલીને વસ્તુ માંગો, પ્રકૃતિ અને ભગવાનથી જે તમે માંગો છો તે દિલખોલીને માંગો અને એ વાત પર વિશ્વાસ રાખો કે ભગવાન તમને એ વસ્તુ જરૂર આપશે. મનમાં વિશ્વાસ હોવાથી તને જે ચાહો તે તમને મળી જાય છે દરેક વસ્તુ મળવાનો એક સમય હોય છે અને તમે હંમેશા તે સમયની રાહ જોવો છો. તમે જે ચાહો છો તે જ ભગવાન અને પ્રકૃતિ જોડે દિલખોલીને માંગો અને વારંવાર તમારી ઇચ્છા ના બદલો.કારણકે જ્યારે તમે તમારી ઈચ્છાને બદલો છો તો તમારી ઈચ્છા પુરી થવામાં ઘણો સમય લાગે છે.
છઠું રહસ્ય
કોઈ દિવસ લક્ષ્મીનો અનાદરના કરો. ધનનું કયારે પણ અનાદરના કરશો અને તેને હંમેશા સાચવીને મુકો.પૈસાને નીચે પડવાથી તેને લઈને બરાબર સાફ કરો.જ્યારે પણ ઘરમાં બહાર થી પૈસા આવે તો સૌથી પહેલાં મંદિરમાં મુકો.અને પછી તિજોરીમાં મુકો.આવું કરવાથી પૈસામાં વધારો થશે..