ઉત્તરપ્રદેશ ના મુજફ્ફરપુર નાં ભાજપ સાંસદ અજય નિષાદ એ શનિવારના રોજ પોતાના નિવેદનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને દેશના ભાવિ પ્રધાનમંત્રી હોવાનું જણાવ્યું હતું. આ નિવેદન ને લીધે તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે યોગી આદિત્યનાથ ને ભાજપનાં ચમકતા સિતારા છે અને વડાપ્રધાન પદ માટે યોગ્ય ઉમેદવાર પણ છે.
તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે લોકોને યોગી આદિત્યનાથ પર ખુબ જ ભરોસો છે. આ વખતે પણ ભાજપ ભારે બહુમતીથી વિજયી બનશે. આ ઉપરાંત અજય નિષાદ એ વીઆઇપી પાર્ટી સુપ્રિમો એવા બિહાર સરકારમાં મંત્રી મુકેશ સહની ને પણ આડે હાથ લીધા હતા. અને કહ્યું હતું કે યોગી જિંદાબાદ કહેવું પડશે, નહીં તો તેમનો વિનાશ નક્કી છે.
આજે નિષાદ એ જણાવ્યું હતું કે લોકો ભાજપથી અને તેના કાર્યોથી ખુશ છે. હાલમાં જ ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા ત્યારે લાખોની સંખ્યામાં નિષાદ સમાજના લોકો સામેલ થયા હતા અને બધા લોકોએ સહકાર આપીને ભાજપની જીત નક્કી કરી છે.
અજય નિષાદ એ વીઆઇપી (વિકાસશીલ ઇન્સાન પાર્ટી) અધ્યક્ષ મુકેશ સહની પર પણ વાર કર્યો હતો. તમને કહ્યું કે તેઓ આરક્ષણનાં મુદ્દાને લઈને તેઓ બિહાર ચુંટણીમાં આવ્યા હતા. જો તેઓ ઉત્તર પ્રદેશમાં ચુંટણી લડવાની જીદ પર અડગ રહ્યા, તો તેમની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ જશે અને ચુંટણી લડવાની જ છોડવી પડશે. ભાજપની સાથે ચાલવું હોય તો યોગી જિંદાબાદ કહેવું પડશે.