ગઇ કાલે સુપ્રીમ કોર્ટ એ વર્ષોથી અટકી રહેલ રામજન્મ ભૂમિ નો વિવાદ ઉકેલાય છે.ત્યારે અયોઘ્યા માં શાંતિ ને ધ્યાનમાં રાખીને મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે.ગઈ કાલે જ અયોધ્યામાં સરકારદ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે જે લગભગ 10 દિવસ સુધી રેહશે.કોર્ટ ના ચુકાદાને ધ્યાનમાં રાખી ને ઉત્તરપ્રદેશમાં ૯ થી ૧૧ નવેમ્બર સુધી શાળા-કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવામાં આવી છે.
કોઈ પણ રીત એ આ વિસ્તારમાં કોમ ને લઈને હુલ્લડ ના થાય તેમાટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જે સતત 10 દિવસ સુધી લાગુ રેહશે.અયોધ્યામાં ચાંપતી નજર રાખવા હેઠળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ.ત્યારે સમગ્ર અયોધ્યા અને આજુબાજુ નો લગભગ 2 કિલોમીટર સુધી નો વિસ્તાર શીલ કરવામાં આવ્યો છે.
અયોધ્યાના એન્ટ્રી ગેટ પર પોલીસ દ્વારા ચેકિંગ ગોઠવવામાં આવ્યું છે.સાથેજ શહેરમાં જવાના અન્ય રસ્તા બંધ કરી દેવાય છે.રામજન્મ ભૂમિ જે ને રામકોટ મોહલ્લો કહેવાય છે ત્યાં સૌથી વધારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
આ મહોલ્લામાં સુરક્ષા દળની સંખ્યા પેહલાં કરતાં બમણિ કરી દેવાઈ છે.સમગ્ર અયોધ્યા શહેર માં ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે જ્યારે બહાર નીકળવા માત્ર ને માત્ર ટુ-વ્હીલર ચલાવવાની જ છૂટી છે.
જ્યારે રામજન્મ ભૂમિ વાળા વિવાદાસ્પદ વિસ્તારમાં ટુ-વ્હીલરને પણ પરવાનગી નથી.અર્થાત સમગ્ર અયોધ્યા પર ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી છે.જેથી કરીને કોઈ પણ જાતની મુશ્કેલી સર્જાય નહીં તથા આતંકવાદી ઓ ને પણ ધ્યાન માં લીધાં છે જેથી અહીં આટલી કડક સુવિધા કરવામાં આવી છે.