હરડે એક આરોગ્ય માટે લાભકારી જડીબુટ્ટી છે. હરડે દેખાવમાં નાનકડી અને અનેક ગુણોથી ભરેલી છે. ભારતના પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં હરડેના અનેક લાભો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં હરડેને અનેક ઔષધિના રાજા તરીકે તરીકે ગણવામાં આવે છે. આયુર્વેદમાં હરીતકી તરીકે ઓળખવામાં આવે છે.
હરડે માત્ર ઔષધી જ નથી પરંતુ તે સ્વાસ્થ્ય અને સૌન્દર્ય પદાર્થો માટે પણ લાભદાયી છે. હરડેના ફળ, મૂળ અને છાલ બધાનો ઉપયોગ કરવામાં આવે છે.હરડેના ફાયદા વિષે જાણીશું. આજના સમયમાં તણાવ ભર્યા જીવનને લીધે લોકોને માથાના દુખાવાની સમસ્યા ખાસ રહેતી હોય છે. આ રોગના ઉપચાર માટે હરડેની ગોટલી લઈને પાણી સાથે વાટીને માથા પર લેપ કરવાથી માથાના દુખાવાની સમસ્યામાં રાહત રહે છે. હરડે માથાના દુખાવામાં શાંતિ આપે છે અને તણાવને દુર કરે છે.
મોટા ભાગના લોકોને ખોડાની સમસ્યાને લીધે માથાના વાળ ખરી જતા હોય છે અને એક સમય એવો આવે છે કે માથામાં ટાલ પડી જાય છે. હરડેના પ્રયોગ દ્વારા માથા પરના ખોડાને દુર કરી શકાય છે. આંબાની ગોટલીનું ચૂર્ણ અને હરડેનું ચૂર્ણ મિકસ કરીને સરખા પ્રમાણમાં દૂધ સાથે ભેળવીને માથા પર લગાવવાથી ખોડો દુર થાય છે.
હરડેનું સેવન સતત કરવાથી શરીરમાં થાક નો અનુભવ નથી થતો અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.હરડે ના ટુકડા ને ચાવીને ખાવા થી ભૂખ વધે છે.હરડેના સેવનથી ખાંસી કે કબજિયાત જેવા રોગો પણ દુર થઇ જાય છે.હરડેને વાટીને તેને મધમાં ભેળવીને ચાટવાથી ઉલટી આવવાની બંધ થઇ જાય છે, જો શરીરમાં ક્યાય ઘા થયો હોય તો હરડેથી તે ઘા ને ભરી દેવો જોઈએ.પિત્ત ની સમસ્યામાં હરડે નો આ ઉપાય સારો છે. ૩-૬ ગ્રામ હરડેના પાવડરને દૂધ માં નાખીને તેમાં ખાંડ પીસીને મિક્સ કરી ને તે દૂધ પીવાથી ઝડપ થી ફાયદો થાય છે.
સવારે મધ સાથે હરડેનું ચૂર્ણ ચાટવા થી શરીરમાં બળ અને શક્તિ વધે છે.માખણ મિશ્રી ની સાથે હરડેનું ચૂર્ણનું સેવન કરવાથી યાદ શક્તિ અને બુદ્ધિ વધે છે એટલે વિદ્યાર્થીઓ એ તેનું સેવન જરૂર કરવો જોઈએ.આના સેવનથી ઘણી નાની મોટી બીમારીઓ મૂળ માંથી દુર થઇ જાય છે, તે મગજને સ્ફૂર્તિમાં રાખવામાં અને આંખો માટે સૌથી ગુણકારી ઔષધ છે. જે શરીરને શક્તિ આપીને નીરોગી બનાવે છે. ફક્ત એટલું જ નહિ તે આપના શરીરને કબજિયાતમાં છુટકારો મેળવવામાં પણ મદદરૂપ સાબિત થઈ છે. તો આજ થી તેનું સેવન શરુ કરો, તેનું ચૂર્ણ અને ગોળીઓ સરળતાથી બજારમાં મળી રહે છે.
ભોજન પહેલા દરરોજ ૩ ગ્રામ હરડેનું ચૂર્ણ અને ૩ ગ્રામ સુકી દ્રાક્ષનો પેસ્ટ બનાવી તેમાં સાકરનો ભૂકો ભેળવીને અથવા મધ સાથે ખાવાથી મોતિયાનો રોગ નાબુદ થાય છે. જયારે ઋતુ બદલે સે ત્યારે ઘણા લોકોને કફ શરદી અને ઉધરસ થતું હોય છે તેના લીધે તાવ માથું દુખાવા જેવી સમસ્યા થાય છે.આં સમયે હરડે અથવા હરડેનું ચૂર્ણ દૂધ અથવા પાણી સાથે પીવાથી કફ દુર થાય છે અને જેથી માથાનો દુખાવો અને તાવ પણ મટે છે. દરરોજ 2 થી 5 ગ્રામ હરડેનું સેવન કરવાથી કફ દુર થાય છે.