ખજુર સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ખજૂરનું સેવન શરીરમાં લોહીની ઓછપ દૂર કરે છે, હદયને બળ પૂરું પાડે છે. ખજૂર શરદી, કફજન્ય ઉપાધિમાં, મગજની કમજોરી દૂર કરવામાં, શ્વાસની તકલીફ અને ખાસ કરીને દમની રોગમાં લાભદાયક છે.
ખજૂર આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, ફાઈબર અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે,જો કોઈ માણસ તેનું સેવન કરે તો તેના શરીરમાં ક્યારેય કોઈ નબળાઇ આવતી નથી, અને તે શારિરીક શક્તિને વધારો થાય છે. આવો જાણીએ ખજૂર ખાવાના ફાયદા. ખજૂરમાં પોટેશિયમ હોય છે. તેને ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે. જેનાથી સ્ટ્રોક, કોલેસ્ટ્રોલ અને હૃદયની બીમારીઓ પણ દૂર થાય છે.
જ્યારે વ્યક્તિના શરીરમાં પૂરતું વિટામિન B6 હોય ત્યારે દિમાગ વધુ સારી રીતે કામ કરે છે. આ કારણે વધુ ફોકસથી કામ કરી શકાય છે, યાદશક્તિ સુધરે છે અને દિમાગને તેજ બનાવવામાં પણ ખજૂર શ્રેષ્ઠ આહાર ગણવામાં આવે છે. શ્વસનતંત્રને લગતી બીમારીથી પીડિત લોકો માટે ખજૂર અને દૂધનું સેવન ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. તે જ સમયે, જે લોકો તેનાથી પીડિત નથી તે પણ તેની ચપેટમાં આવવાથી બચે.
આંખોની નીચે કાળાં કુંડાળાં થવાં વગેરે તકલીફો ઉપરાંત ત્વચાને સુંદર રાખવા માટે ખજૂરને ડાયટમાં સામેલ કરો. ખજૂર આંતરડાંનાં કેન્સર સામે રક્ષણ આપે છે. તેમાં આવેલા ફાઇબર્સને કારણે કબજિયાત થતી નથી અને આંખો પણ સારી થાય છે.
તબીબી અધ્યયન મુજબ, દૂધ અને ખજૂરનું એક સાથે સેવન કરવાથી શ્વસન સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળે છે. આની મદદથી તમે અસ્થમા જેવા રોગના જોખમને ટાળી શકો છો. ખજૂરમાં પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર મળી આવે છે જે પેટની પાચન શક્તિને સુધારવા ઉપરાંત ભૂખ વધારે છે એટલું જ નહીં, પેટને લગતી કોઈપણ તકલીફ માટે ખજૂરનો સ્રોત કોઈ રામબાણ ઉપચારથી ઓછું નથી.
ખજૂરમાં તમારા રક્તવાહિની તંદુરસ્તીને સુધારવા માટે જાણીતી ઇસોફ્લાવોનો અને ફાયટોસ્ટ્રોજનની ઊંચી સંખ્યા પણ જોવા મળે છે. મો માં આખો દિવસ દુર્ગંધ આવતી હોય તો ખજૂરનાં ઠળીયા બાળીને તેની રાખ દાંત પર ઘસવી જોઈએ. જેથી દાંત પર જામેલું હઠીલું મેલ દૂર કરે છે.
ખજૂર એકી સાથે પાંચ તોલાથી વધુ ખાવું નહિ. ખજૂરનું નિયમિત સેવન લાભકારી છે. ગુર્દા અને આંતરડાની બીમારીમાં ફાયદાકારક છે. તાજા ખજૂરનું પાણી પીવાથી ઝાડા બંધ થઇ જાય છે. ખજૂર સાથે દાડમનું પાણી પેટની બળતરા અને ઝાડની તકલીફમાં ખૂબ ઉપયોગી છે.
ખજૂરના ઠળિયા આગમાં નાખી તેના ધુમાડાની ધૂણી લેવાથી બવાસીરના મસા સુકાઈ જાય છે. ખજૂર નું નિયમિત સેવન જૂની કબજીયાતની તકલીફ દૂર કરે છે. શુદ્ધ લોહી વાહન કરતી નસોમાં, લોહી પહોચાડવામાં થતી રુકાવટમાં ખજૂરના ઠળિયા અનુપમ ઔષધનું કામ આપે છે.જૂર કબજીયાતની તકલીફમાંથી છુટકારો અપાવે છે, પેશાબ છૂટથી લાવે છે અને વિર્યશક્તિમાં વધારો કરે છે.