HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home જાણવા જેવું

મોંઘીદાટ દવાઓ વગર ધાધર, ખસ અને ખંજવાળનો આયુર્વેદિક ઈલાજ, જીવનભર ક્યારેપણ નહીં થાય ધાધર

Team GujjuClub by Team GujjuClub
November 3, 2021
in જાણવા જેવું, હેલ્થ
510 5
0
મોંઘીદાટ દવાઓ વગર ધાધર, ખસ અને ખંજવાળનો આયુર્વેદિક ઈલાજ, જીવનભર ક્યારેપણ નહીં થાય ધાધર
708
SHARES
3.2k
VIEWS
Share on FacebookShare on Twitter

ધાધર એક ફંગલ ઇન્ફેકશન છે જે માથું, પગ, ગરદન કે કોઈ અંદરના ભાગમાં ક્યાય પણ થઇ શકે છે. તે લાલ કે હળવા ભૂરા રંગના ગોળ આકારના હોય છે. તે કોઈ જીવાતથી થતો નથી એક ફંગલ ઇન્ફેકશન છે. જો તમને આ ફંગલ ઇન્ફેકશન છે તો તમને તમારા શરીરના કોઈ પણ ભાગ ઉપર લાલ ગોળ નિશાન જોવા મળશે. તે ખુબ ઝડપથી ફેલાય છે જે જગ્યા ઉપર થયેલ છે તેની આજુ બાજુ ની જગ્યાએ પણ ફેલાવા લાગે છે. આજે અમે તમને ધાધરના ઉપચારો વિશે જણાવીશું.

કુંવાળીયાના બી શેકી, ચૂર્ણ બનાવી 1-1 ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લો. આ ચૂર્ણને લીંબુના રસમાં ઘૂંટી ધાધર ઉપર ઘસીને લગાવો. ઘણા લોકો આ ચૂર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરે છે. કુંવાળીયાના બી ધાધર ઉપરાંત, ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ જેવાં રોગો પણ મટાડે છે.

ગરમ કરેલા ગેરૂના પાઉડરમાં તુલસીના પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી ધાધર પર સવાર-સાંજ લગાડવું. અફીણ, એલચી, નવસાર, વછનાગ, ટંકંણખાર, મોરથૂથુ, ગંધક, પારો, સિંધવ અને મનશલ સમભાગે લઈ બારીક વાટી તેમાં ઘી મેળવવું, તેને ઘૂંટીને ધાધર પર લગાવવાથી લાભ મળે છે.

તુલસીના મૂળનો એક ચમચી ભૂકો એક ગ્લાસ પાણીમાં નાખી કાઢો કરવો. આ ઉકાળો રોજ તાજો બનાવી સવાર-સાંજ પીવાથી કોઢ, ધાધર અને ખરજવું મટે છે. પારો 5 ગ્રામ અને ગંધક 12 ગામ લઈ ઘૂંટી લેવું. પછી મોગરાનું તેલ નાખતા જવું અને ઘૂંટતા જવું. આ મલમ ધાધર પર લગાવવો. એનાથી ધાધર મટે છે. મીણ 10 ગ્રામ, હાથો 10 ગ્રામ, લીમડાનાં પાન 20 ગ્રામ, કૌચાનાં બી 20 ગ્રામ, કપૂર 3 ગ્રામ, મોરથુથુ 2 ગ્રામ અને તલનું તેલ 80 ગ્રામ, ત્રણ દિવસ ઘૂંટવું. આ મલમ ધાધર પર ખંજવાળીને લગાડવાથી લાભ થાય છે.

તુલસીના પાનનો રસ અને લીંબુનો રસ મિશ્ર કરી લગાડવાથી પણ ધાધર મટે છે. ગંધક, તીખા, સિંદૂર, હળદર, આંબાહળદર, શંખજીરું, કેસર, મનશલ, એલચી અને કાથો સમભાગે લઈ બારીક કરી 21 વાર ધોયેલા ઘીમાં મેળવીને લગાવવાથી ધાધર મટે છે. ડુંગળીનો રસ ચોપડવાથી ધાધર કે ખુજવી મટે છે. કુંવાડિયાના બીજનું ચૂર્ણ લીંબના રસમાં લસોટી ચોપડવાથી ધાધર મટે છે.

તુલસીના પાનનો રસ અને લીંબુનો રસ 1-1 ચમચી મિશ્રણ કરી સવાર-સાંજ પીવાથી પણ ઉગ્ર ધાધર મટે છે. ગંધક 10 ગ્રામ, મોરથૂથુ 6 ગ્રામ અને સુરોખાર 6 ગ્રામ બારીક વાટી તેને 100 ગ્રામ ફિનાઇલ માં મેળવવું. તેમાં કાર્બોલિક એસિડ 10-20 ટીપા જેટલું નાખવું અને ધાધર પર લગાડવાથી લાભ મળે છે. ગુવારના પાનનો રસ અને લસણનો રસ એકત્ર કરી ધાધર પર ચોપડવું.

છાસમાં કુવાડીયાના બી વાટીને ચોપડવાથી ધાધર મટે છે. દાડમના પાનની પેસ્ટ લગાવીને પણ ધાધર કે ખરજવા પર લગાવવાથી રાહત મળે છે. ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાળી તેની રાખ કપૂર ‍અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે. સોપારીના ઝાડનોગુંદર બકરીના દૂધમાં વાટીને લેપ કરવાથી ધાધર મટે છે.

પપૈયાનું દૂધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી ધાધર મટે છે. આંકડાના પાનનો રસ 100 ગ્રામ અને તલનું તેલ 50 ગ્રામ મેળવીને ગરમ કરવું, ૨સ બળી જાય પછી તેમાં 25 ગ્રામ ગંધક નાંખવો અને પછી ધાધર વળી જગ્યા ધોઈને આ દવા લગાવવી. લસણનો રસ 3 દિવસ ધાધર પર ચોળવાથી એ મટે છે. બાવળના ફૂલોને વાટીને ધાધર પર લેપ કરવો. તે ખુબ જ ઉપયોગી ઉપાય છે. આ ઈલાજ તેના આયુર્વેદિક ગુણને કારણે બાવળના ફૂલ દાદરને મટાડવા માટે ઉપયોગી છે. જે બાવળના ફૂલ અને તેનો રસ દાદરના જીવાણુંનો નાશ કરે છે. લીંબુના રસમાં આમલીનો ઠળીયો ગસી ચોપડવાથી ધાધર મટે છે. લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી માલિશ કરવાથી ધાધર મટે છે.

એલોવિરાના તાજા પાંદડાનો પેસ્ટ બનાવીને ધાધર વાળા ભાગ પર લગાવો. તેને બે ત્રણ કલાક સુધી ધાધર પર રહેવા દીધા પછી સુકાઈ જશે. તેને ગરમ પાણીથી ધોઈ લો. આમ, આ ઉપાય થોડા દિવસો સુધી કરવાથી ધાધર મટી જાય છે. કણઝીના તેલમાં અથવા મૂળના પાનના રસમાં લસોટીને પણ ચોપડી શકાય. કાચા પપૈયાનો રસ દિવસમાં બેથી ત્રણ વખત ઘસવાથી ધાધર મટે છે.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.
સમાચાર

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

7 months ago
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..
સમાચાર

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

7 months ago
આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..
સમાચાર

આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..

7 months ago
હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.
સમાચાર

હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.

7 months ago
માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..
સમાચાર

માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..

7 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In