દેશમાં ચાલી રહેલ આર્થિક મંદી ના કારણે કોંગ્રેસ દ્વારા દિલ્હી માં સરકાર વિરુદ્ધ પ્રદશન કરવામાં આવવા નું છે. ત્યારે માહિતી મળી છે કે ગુજરાત માંથી હજારોની સંખ્યામાં લોકો દિલ્હી જવાના છે. તે માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ ધારાસભ્ય ઓ ને એલર્ટ કર્યા છે. કોંગ્રેસ દ્વારા ભારત બચાવો નેજા હેઠળ દેશ વ્યાપી આંદોલન કરવામાં આવશે.
સંસદથી લઇ સડક સુધી કોંગ્રેસ ભાજપની નિતી સામે આંદોલન કરશે. ગુજરાત અને દિલ્હીમાં યોજનાર કાર્યક્રમ અંગે ધારાસભ્યોને ખાસ ટાસ્ક સોપવામા આવ્યાં છે. ગુજરાતમાથી ૫ હજાર જેટલા લોકોને દિલ્હી લઈ જવાનો ટાર્ગેટ પ્રદેશ કોંગ્રેસને સોપવામા આવ્યા છે. દેશના તમામ ધારાસભ્યોને એક છત નીચે આવવા સોનીયા ગાંધીએ ફરમાન કર્યુ છે.
અમદાવાદના ધારાસભ્યોને પણ કાર્યકર્તા અને હોદેદારો સાથે દિલ્હીના આંદોલનમા હાજર રહેવાનુ ફરમાન કરવામા આવ્યું છે. તે માટે ખાસ કરીને ભાર પ્રદેશ પ્રમુખ પર મુકવામાં આવ્યો છે. અને માટે અમિતિ ચાવડા એ ધારાસભ્ય ઓ ને ખાસ એલર્ટ કર્યા છે. ભાજપ ને ધૂળ ચટાડવા કોંગ્રેસ હવે સક્ષમ થઈ ગઈ છે.
નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમીત ચાવડા આવતાજ હવે કોંગ્રેસ માં એક જુસ્સો આવી ગયો છે ત્યારે હવે પ્રદેશ પ્રમુખ તરીકે ના પદ રહી ને અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસ ને એક નવી દિશા આપવી રહ્યાં છે. દેશમાં મંદીનો માહોલ અને સરકારની નિષ્ફળતાના આરોપ સાથે કોંગ્રેસ આક્રમક બનવા જઈ રહી છે.
આગામી 30 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ ભારત બચાવો આંદોલન ચલાવશે. અત્યારે ભારતભરમાં કોંગ્રેસ જનવેદના આંદોલન ચલાવી રહી છે. મોંઘવારી મુદ્દે ભાજપ સરકારને ઘેરી રહી છે. ત્યારે આગામી 30 નવેમ્બરે જ દિલ્હીમાં ભારત બચાવો આંદોલન દ્વારા કોંગ્રેસ સરકારને ઘેરશે.
તેમાં ગુજરાત માં ખાસ મેન રોલ તરીકે અમીત ચાવડા રેહશે. અમીત ચાવડા ને ખાસ કહેવામાં આવ્યું હતું કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ નું માળખું તૈયાર કરી ને ખાસ એવાત નું ધ્યાન રાખવામાં આવશે કે કોંગ્રેસ ક્યાંય પણ કાચું ના પડે.
ગુજરાત માંથી લગભગ પાંચ હજાર થી વધુ લોકો જ્યારે દિલ્હી સ્થિતિ સરકાર વિરુદ્ધ પ્રદશન માં જવાના છે. ત્યારે આ માટે અમિત ચાવડાએ પોતાના ધારાસભ્ય ને ખાસ ટાસ્ક આપ્યાં છે. કોંગ્રેસ કેન્દ્ર સરકારને આર્થિક મંદીની સાથે સાથે ખેડૂતોની સમસ્યાઓ ઉપર પણ ઘેરશે.
થોડા સમયથી ઉદ્યોગ જગત પણ આર્થિક મંદીના કારણે નુકસાની ભોગવી રહ્યો છે. જેને કારણે નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉદ્યોગ જગતને રાહત આપવાની જાહેરાતો કરી હતી. સામાન્ય રીતે બજેટ રજૂ કરતા દરમ્યાન જાહેરાતો કરી દેવામાં આવે છે.
જે સામાન્ય રીતે આગામી બજેટ સુધી ચાલુ રહે છે. દિલ્હી માં સરકાર વિરુદ્ધ ખાસ પ્રદશન કરતાં કોંગ્રેસ એ પણ કહે છે કે સરકાર નો દરેક નિયમ હવે મંદી ને ઘટાડવા ની જગ્યાએ વધારી શકે છે. ત્યારે સરકારે હવે આ નિયમો ના લેવા જોઈએ.