હવામાન વિભાગ નું કહેવું હતું કે વરસાદ એ વિદાય લીધી છે પરંતુ એવું થયું નથી.વરસાદ સિઝન માતો વર્ષયો પરંતુ ત્યારબાદ પણ અનેક જગ્યાએ માવઠા પડ્યા.હજુ પણ ગુજરાતમાં માવઠા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે.પહેલાં ગુજરાતમાં વાવાઝોડાની અસરને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો.અને જેને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો.હજુ પણ ગુજરાતનું વાતાવરણ સામાન્ય થયું નથી.ત્યારે ઘણી જગ્યાએ બરફ જોવા મળ્યો છે.
કચ્છમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.તો જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગે આગામી 2થિ 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી જે સાચી ઠરી અને ઘણી જગ્યાએ વરસાદ પણ જોવા મળ્યો હતો. ગુજરાત માં એક દમ વાતાવરણ માં પલટો જોવા મળ્યો હતો.ચરોતર સહિત ના મધ્ય ગુજરાત વિસ્તારોમાં એક દમ ઠંડી નો માહોલ સર્જાયો હતો.
કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો.અબડાસા, લખપત અને નખત્રાણામાં વરસાદ વરસ્યો હતો.લખપતના દયાપર, માતાના મઢમાં કરા પડ્યા હતા.અબડાસાના ડુમરા, મજલ, કારોળિયામાં વરસાદ વરસ્યો હતો.કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.હજી પણ વરસાદી માહોલ સર્જાય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે સરકારે એ લીલો દુકાળ જાહેર કરી ખેડૂતો ને 100%ટકા પાક નુંકશાન નું વળતર આપી દેવું જોઈએ. હાર્દિક પટેલ સહિત ના આંદોલન કારો નું કહેવું છે કે સરકારે હવે સેની રાહ જુએ છે લીલો દુકાળ જાહેર કરી દે.
તો જૂનાગઢના માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ હતો.અકાળા, અમરાપુર, કાત્રાસા, વીરડીમાં વરસાદ ખાબક્યો હતો.કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો છે.મગફળી, કઠોળ, બાજરી સહિતનાં પાકને વરસાદને કારણે નુકસાન પહોંચ્યું છે.
કમોસમી વરસાદના કારણે ઘઉં ચણાના પાકને નુકસાન થવાની ભીતિ છે.હવામાન ખાતાએ જણાવ્યા પ્રમાણે 14 અને 15 તારીખે છૂટો છવાયો વરસાદ પડવાની આગાહીના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.ત્યારે હજી આગળ પણ વરસાદ દેખાઈ રહ્યો છે.જેના કારણે ખેડૂતો ની ચિંતા માં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે હવે સરકારે આના પાર વધુ વિચારવું જોઈએ.