ગંદકી કે પ્રદૂષણ ના કારણે અથવા તો ફીટ મોજા પહેરવા, વધારે સમય સુધી પરસેવો થવો વગેરે જેવા કારણોથી નગમાં ઇન્ફેકશન લાગી શકે છે, અને નખ ખરાબ થવાના શરૂ થઈ જાય છે. હાથ પગના નખ પર ફૂગ સાવ સામાન્ય છે. પરંતુ ફૂગ વાળ નખ જોવામાં ખૂબ જ ખરાબ લાગે છે. જો તેનો ઇલાજ કરવામાં ન આવે તો નખ બીજા નખ ઉપર ઇન્ફેક્શન લાગી શકે છે. અને ધીમે ધીમે વધી જાય છે, ક્યારેક તો એની પરિસ્થિતિ પણ આવી જાય છે કે નખ ને કાળો પડે છે.
વૃદ્ધ લોકોમાં નખ માં ફૂગ થવાનું ઇન્ફેક્શન વધારે જોવા મળે છે. સામાન્ય રીતે અંગૂઠાની નીચે સફેદ કે કાળા કે પીળા કલરના ફુલ્લી થઈ જાય છે. પછી ધીમે ધીમે બીજા નખને પણ અસર કરે છે. તેના કારણે ઘણી પીડા અનુભવવી પડે છે. જો ધ્યાન ન આપવામાં આવે તો ધીમે ધીમે નખને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. અને પછી સારવાર કરવી પડે છે.
જો ઇન્ફેક્શનની રાહત મેળવવા માંગો છો તો એલોવેરા પણ ખૂબ જ અસરકારક ઉપાય છે. એલોવેરામાં ફૂગ ને દુર કરવાનો અને એન્ટી-ફંગલ ગુણધર્મ હોય છે. એલોવેરા ત્વચા રોગ માટે લડવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. એલોવેરા જેલને પંદરથી વીસ મિનિટ માટે નખ પર લગાવો. અને પછી શુદ્ધ પાણીથી ધોઈ લો. થોડાક જ સમયમાં તમને રાહત મળશે.
જે નખને ફૂગ થયું હોય તેને પહેલા બરાબર સાફ કરો. નારિયેળ તેલમાં અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. દિવસમાં ત્રણ વખત નાળિયેર તેલ લગાવવાથી ફૂગની સમસ્યામાં તરત જ રાહત થશે. નાળિયેર તેલ ફૂગ વિરોધી હોય છે, એટલે તેનાથી રાહત મળે છે.
નખ ની ફૂગને દૂર કરવા માટે આમળાના બે થી ત્રણ તેલના ટીપા લો. તેને પંદરથી વીસ મિનિટ માટે લગાવેલું રાખો. ત્યારબાદ તેને ટિશ્યૂ પેપરથી અથવા પાણીથી સાફ કરી લો. આવું બે દિવસ કરવાથી તરત જ ફાયદો થઈ જશે.
જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, તેઓને ઘણી વાર નખમાં ચેપની ફરિયાદ થાય છે. જો પગમાં ફીટ મોજા અથવા તો બુટ પહેરવામાં આવે કરવામાં આવે તો ફૂગ થવાનું કારણ થઈ શકે છે.
ફૂગને દૂર કરવા માટે લીંબુનો રસ ખૂબ જ ઉપયોગી છે. લીંબુ એન્ટિસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે. જે ફૂગ વધવાથી રોકે છે, લીંબુના રસને નખ પર બેથી ત્રણ વખત લગાવો. સૂકાઈ જાય પછી સાદા પાણીથી સાફ કરી લો. આવું કરવાથી થોડાક જ દિવસમાં ફૂગની ઇન્ફેક્શનમાં રાહત મળે છે.
નખની ફુગથી બચવા માટે લવંડર તેલ નો ઉપયોગ પણ કરી શકાય. રૂની મદદથી અસરગ્રસ્ત વિસ્તારમાં લવંડર ના તેલના થોડા ટીપા લગાવી પંદર મિનિટ માટે છોડી દો. પછી તેને સાદા પાણીથી સાફ કરવાથી ફૂગ માં ઇન્ફેકશન દૂર થઈ જશે.
લસણ નખની ફૂગને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. લસણમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. લસણની કળીને ખાંડીને તેમાં સફેદ વિનેગર મિક્સ કરો. નખને તેમાં ૧૦ થી ૨૦ મિનિટ સુધી ડુબાડી રાખવા આ ઉપાય કરવાથી નખની બધી સમસ્યા માં રાહત થઈ જશે.