વર્ષોથી અટકી રહેલો અયોધ્યા નો વિવાદી રામજન્મ ભૂમિ નો આખરે સુપ્રીમ કોર્ટ એ પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરી દીધો છે ત્યારે હવે રામ મંદિર ટ્રસ્ટ નું લિસ્ટ બહાર આવી ગયું છે.સોમનાથ ટ્રસ્ટની દિલ્લીમાં બેઠક મળવાની છે જેમાં રામમંદિર ટ્રસ્ટનું માળખુ રચવામાં આવશે.અને ત્યાં 22 નવેમ્બરે પીએમ મોદીના નિવાસ સ્થાને આ બેઠક યોજાવાની છે.
આ બેઠકનાં મુખ્ય અધ્યક્ષ કેશુભાઈ પટેલ સાથે અમિત શાહ અને લાલ કૃષ્ણ અડવાણી હાજર રહેશે. સાથે જ ટ્રસ્ટી અને સેક્રેટરી સચિવ પણ હાજર રહેશે.આ જ બેઠકમાં નક્કી કરેલા નામોની જાહેરાત કરવામાં આવશે.અને મળતી માહિતી એવું સાબિત કરે છે કે દેશ ના ટોચ ના નેતાઓ રામ મંદિર ટ્રસ્ટ ના મુખ્ય સૂત્ર ધારો સાબિત થઈ શકે છે.
રામ મંદિર ટ્રસ્ટ માં આમતો ઘણાં નેતાઓ નો સમાવેશ થવાનો છે,પરંતુ મુખ્ય રાજકારણી નેતાઓ ઓ આમ મહત્વ નો ભાગ ભજવશે.મંદિરના મુખ્ય પુજારીનો પણ સભ્ય તરીકે ટ્રસ્ટમાં સમાવેશ થઇ શકે છે. મંદિરના આંદોલનથી જોડાયેલ સંગઠનોના સભ્યોને ટ્રસ્ટમાં જગ્યા મળી શકે છે.એવું કેહવાઈ છે કે વર્ષોથી જે નેતાઓ આ રામ મંદિર નિર્માણ આંદોલન માં હતાં તે નેતાઓ ને અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટ માં પેહલુ સ્થાન મળશે.
વર્ષોથી જે ચુકાદાની રાહ સમગ્ર દેશ વાસીઓ અને કેટલાક મુખ્ય રાજકારણીઓ જોઈ રહ્યાં હતાં તે હવે તેમની ઈચ્છા મુજબજ હિન્દૂ પક્ષમાં આવ્યો છે ત્યારે અયોધ્યા માં રામ મંદિર નિર્માણ થવાનું છે તે વાત હવે નક્કી જ છે.ત્યારે આ નિર્માણ માટે ટ્રસ્ટ ઉભું કરવામાં આવી રહ્યું છે જેનું નામ અપાયું છે રામ મંદિર ટ્રસ્ટ અને આ ટ્રસ્ટ માં સૌથી પહેલું સ્થાન એલ કે અડવાણી ને આપવાનું છે.રામમંદિરમાં ટ્રસ્ટમાં અડવાણીનું નામ મોખરે
અયોધ્યામાં રામમંદિર મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે.
વિવાદીત જગ્યા પર રામમંદિર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.ત્યારે આ મંદિરનું પણ સોમનાથ જેવું ટ્ર્સ્ટ બનાવવામાં આવશે જેમાં રામમંદિર બનાવવાના આંદોલનમાં જે જોડાયા હતા તેમનો આ ટ્રસ્ટમાં સમાવેશ થશે જેમાં અડવાણીનું નામ મોખરે છે.અને કેમ ના હોય જે વ્યક્તિઓ એ આ આંદોલન માં પહેલાથી લઈને અત્યાર સુધી સાથ આપ્યો છે તે તમામ વ્યક્તિઓ ને આ ટ્રસ્ટ માં સામેલ કરવામાં આવશે.