દુશ્મનની ગોળીઓનો સામનો કરીશું, આઝાદ છીએ, આઝાદ રહીશું. આવુ સુત્ર આપનારા અમર શહીદ ચંદ્રશેખરની તે દિવસોમાં આર્થિક સ્થિતિ સારી નહોતી. તે ઝાંસીની એક કંપનીમાં મોટર વાહન ચલાવીને પોતાનું ગુજરાન પણ ચલાવી શકતા ન હતા. કેટલીકવાર તેમને માત્ર ચણા ખાઈને ભૂખ શાંત કરવી પડતી હતી.
એક દિવસ એવું બન્યું કે આખો દિવસ મોટરની ગાડી ચલાવ્યા પછી જ્યારે તેમને ભૂખથી લાગી , ત્યારે તેમણે જોયું કે તેમની પાસે ફક્ત એક જ ચાર આના છે. ત્યારે જ તેમને ચણાવાળો વેચતો દેખાયો. ભુખ સંતોષવા માટે તેમણે તે ચાર આનાચણા ખરીદવાનું નક્કી કર્યું. ચણા વેચનાર જોડે જઇને તેમને એક ચાર આના ચણા આપવાનું કહ્યું.
ચણા લઈને જ્યારે તેમણેખાવાનું ચાલુ કર્યું તો, ત્યારે તેમને ચણાની સાથે ચાર આનાપણ દેખાઈ.આઝાદ ચકિત થઈ ગયા.ખુશ પણ થયા.થોડા સમય માટે તેમનું મન ડોલી પણ ગયું અને વિચારવા લાગ્યા કે કાલનું કામ થઈ જશે.
ચણા ખાતા ખાતા તે આ બધું વિચારતા હતા ત્યાં જ અચાનક તેમણા મનમાં વિચાર આવ્યો કે જો હું આ ચાર આનાલઈ લવ તો મારૂ કામ તો થઈ જશે પણ પછી હમેશા મને આ વાતનું દુઃખ રહેશે કે મેં કોઈના પૈસા લઈ લીધા.તેમનો વિવેક વારંવાર અહેસાસ કરાવતો હતો કે આ ચાર આનામારી મહેનતની કમાઈ નથી.તો પછી આ મારી કેવી રીતે કહેવાય?આ તો બીજાની મહેનતની કમાઇ મારી જોડે ભુલથી આવી ગઈ છે.
આ વિચારીને ચંદ્રશેખર આઝાદ ચણાવાળા પાસે ગયા અને તેના હાથમાં ચાર આના મુકીને બોલ્યાં, “ભાઈ ! તમે મને ચણાનું જોડે ચાર આના પણ આપી દીધી.જો આવું કરશો તો કેમના કમાશો ? ચણાવાળો કશું બોલે તે પહેલાં આઝાદ તેની હથેળી માં ચાર આના મુકીને ચાલતા થયા.ચણા વેચવાવાળો તે જવાનને જોતો જ રહી ગયો.