દ્વારકા આપણે જાઈયે તો સૌથી પેહલા કૃષ્ણ મંદિરમાં જઇયે ત્યારબાદ દરિયો જોવા જઈએ પણ શુ તમે ત્યાં આવેલ દ્વારકામાં આવેલા હરસિદ્ધિ માતાનું મંદિર જોયું છે અથવા એ વિશે જાણો છો. હરસિદ્ધિ માતા, હર્ષદ દ્વારકા.
હરસિદ્ધિ માતા યાદવોના કુળદેવી તરીકે પૂજાય છે.
સમુદ્રકાંઠે કોયલા ડુંગર નામની પહાડી પર આવેલા હરસિદ્ધિ માતાનું મંદિર હર્ષદ માતા તરીકે પણ ઓળખાય છે. પુરાણ કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે અસુરો અને જરાસંઘને હરાવવા માટે મા અંબાની ઉપાસના કરી હતી. જરાસંધ વધ પછી શ્રીકૃષ્ણે આ સ્થળે સિદ્ધિઓની દાતા દેવી સ્વરૂપે હરસિદ્ધિ મંદિરનું નિર્માણ કર્યું હતું. હરસિદ્ધિ માતા યાદવોના કુળદેવી તરીકે પૂજાય છે.
લોકવાયકા મુજબ, કચ્છના જૈન વેપારી શેઠ જગડુશાના વેપારી વહાણોનો કાફલો દરિયાઈ તોફાનમાં ફસાયો ત્યારે તેમણે મા હરસિદ્ધિનું સ્મરણ કર્યું હતું. એ સાથે ખરાબામાં ચડેલો કાફલો કોયલા ડુંગરના કાંઠે આવી ચડ્યો હતો. માતાની કૃપાથી શેઠ જગડુશાએ આશરે ઈસ. ૧૩૦૦માં હાલના મંદિરનું નિર્માણ કર્યું હતું.
શ્રીકૃષ્ણે આ સ્થળે સિદ્ધિઓની દાતા દેવી સ્વરૂપે હરસિદ્ધિ મંદિરનું નિર્માણ કર્યું હતું
મુખ્ય આકર્ષણ શ્રી હરસિદ્ધિ મંદિર અને આસપાસની નયનરમ્ય પહાડીઓ તેમજ દરિયાકાંઠો
આરતીનો સમયઃ સવારે 9.30
દર્શનનો સમયઃ સવારે 9.00થી સાંજે 8.00
શેઠ જગડુશાએ આશરે ઈસ. ૧૩૦૦માં હાલના મંદિરનું નિર્માણ કર્યું હતું.
કેવી રીતે પહોંચવુ
સડકમાર્ગેઃ પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા રાજકોટ-જેતપુર-પોરબંદર થઈને, વડોદરાથી વાયા તારાપુર ચોકડી-રાજકોટ થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
નજીકનું રેલવે સ્ટેશન અને એરપોર્ટ પોરબંદર 38 કિ.મી. દૂર આવેલું છે.
શ્રી હરસિદ્ધિ માતા મંદિરની નજીકના મંદિરો.
શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા (70 કિમી)
શ્રી સાંદિપની આશ્રમ, પોરબંદર (38 કિમી)
શ્રી નાગેશ્વર મહાદેવ, દારુકાવન (74 કિમી.)
દ્વારકાના કોયલા ડુંગરની પહાડી પર હરસિદ્ધી માતાનું મંદિર આવેલું છે.