રાઈ એ દાળશાકમાં વઘારમાં અને અથાણામાં વપરાતી એક મહત્ત્વની ચીજ છે. બધા દેશોમાં મસાલા તરીકે રાઈનો ઉપયોગ કરવામાં છે. ભારતમાં પ્રાચીન કાળથી રાઈનો ઉપયોગ થાય છે. તેને બેસર અને કાળી બેસર જમીન વધુ માફક આવે છે. તેના છોડ દોઢ હાથ જેટલી ઊંચાઈના થાય છે. તેને પીળાં ફૂલ અને ઇંચ-દોઢ ઇંચ લાંબાઈની શીંગો આવે છે. એ શીંગોમાં રાઈના દાણા હોય છે. રાઈના દાણા બહુ ઝીણા હોય છે. તેના પાનનું શાક થાય છે. રાઈ ભારતમાં સર્વત્ર થાય છે.
ધોળી, કાળી અને રાતી એમ રાઈ ત્રણ જાતની જોવા મળે છે. રાતી કરતાં ધોળી રાઈના દાણા મોટા હોય છે. રાઈડાના દાણા રાઈના દાણા જેવા જ પણ સહેજ મોટા હોય છે. દાળ-શાકના વઘાર ઉપરાંત રાયતા અને અથાણામાં પણ રાઈ વપરાય છે. રાયતું શબ્દ રાઈ પરથી જ પ્રચલિત થયો છે.
માથાના દુખાવાની સમસ્યા હોય તેમને માટે રાઈ ઘણી ફાયદાકારક છે. રાઈના લેપમાં કપૂર ભેળવી કપાળ પર લગાડવામાં આવે તો માથાના દુખાવામાં ઝડપથી આરામ મળે છે. રાઈને વાટીને મધમાં ભેળવીને સુંઘવાથી શરદીમાં આરામ થાય છે, રાઈની પોટલી બનાવીને જ્યાં દુ:ખતુ હોય ત્યાં શેક કરવામાં આવે તો તુરંત જ રાહત મળે છે.
રાઈના બીમાં ઓમેગા-૩ ફૈટી એસિડ, મેગ્નેશિયમ અને સેલેનિયમ જેવા પોષક તત્વ રહેલા હોય છે અને સાથે જ આ ફોસ્ફરસ, મેંગેનીઝ, કોપર અને વિટામીન બી નો પણ ભરપુંણ પ્રમાણમાં સ્ત્રોત હોઈ છે. રાઈના દાણામાં સેલેનિયમ હોઈ છે જે એક એંટિ-ઈંફ્લેમેટ્રી ગુણવાળુ તત્વ માનવામાં આવે છે. રાઈના દાણાનું સેવન કરવાથી સોજાની સમસ્યાથી છૂટકારો મળે છે. રાઈના તેલથી માલિશ કરવા પર પણ સોજા ઓછા થાય છે.
દહીંના મઠામાં રાઈ વાટી તેમાં જરૂરી મીઠું નાખવાથી સરસ અનોખો સ્વાદ પેદા થાય છે. ઉપરાંત તેમાં દ્રાક્ષ, કેળાં, કાકડી, મોગરી વગેરે નાખીને મનગમતી વસ્તુનું રાયતું બનાવી શકાય છે. રાયતામાં રાઈ એ મુખ્ય વસ્તુ હોય છે. રાયતું એ વિશિષ્ટ અને ઉપયોગી બનાવટ છે. એ ઉષ્ણ, પાચક, રુચિકર અને સ્વાદિષ્ટ હોય છે. રાયતું શિયાળાની ઋતુમાં વધારે ગુણકારી માનવામાં આવે છે.
કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવા માટે રાઈનું સેવન લાભદાયક હોય છે. રાઈમાં વિટામીન બી-૩ પૂરતા પ્રમાણમાં હોઈ છે એટલે રાઇ કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવા માટે લાભદાયક હોઈ છે. રાત્રે પાણીમાં રાઇ પલાળીને ખાવાથી હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા ઓછી થઇ જાય છે.
જો કોઈ વ્યક્તિને સતત ઝાડા થઈ રહ્યા હોય તો હથેળીમાં થોડી એવી રાઈ લઈને હળવા હુંફાળા પાણી સાથે રોગીને પીવડાવામાં આવે તો ઘણો આરામ મળે છે. માનવામાં આવે છે કે રાઈ ઝાડાને રોકવામાં સક્ષમ હોય છે. ચપટી રાઈનું ચૂરણ પાણીમાં ભેળવી બાળકોને આપવાથી તે રાતમાં પથારી પર પેશાબ કરવાનું બંધ કરી દે છે.
રાઈ નો ઉપયોગ ભારતીય ઘરોમાં મુખ્ય મસાલાના રુપમાં કરવામાં આવે છે. રાઈનું સેવન કરવુ સ્વાસ્થય અને સૌંદર્ય માટે લાભદાયક હોય છે સાથે જ આ ભોજનના સ્વાદને પણ વધારવામાં મદદ કરે છે. રસોઈમાં વઘાર કરવા માટે મુખ્ય રુપથી રાઈ અને જીરાનો ઉપયોગ કરવામાં આવે છે.