રાજકોટ માં સરકાર ના નામે ચરતા ઠોર નો કાળો ચિઢ્ઢો સામે આવ્યો છે.સરકારી આવાસ યોજના માં પોતાનું પેટ ભારત કર્મચારીઓ ની પોલ ખુલી છે.મધ્યમ વર્ગના લોકો ના પૈસા ખાનાર આ કર્મચારીઓ નેપૈસા લિટ પેહલાં જરા પણ સરમ ના આવી લોકોને પોતાનુ ઘર મળે તે માટે સરકારી આવાસ યોજના અંતર્ગત ઘર આપવામા આવે છે, જે બજાર કરતા 40 ટકા ઓછા ભાવે સરકાર દ્વારા આવાસ યોજના અંતર્ગત લોકોને ઘર આપવામા આવે છે.
પરંતુ છેલ્લા કેટલાં ક સમયથી રાજકોટમાં સરકારી આવાસ ભાડે ચડાવવાનો ધંધો શરુ થયો છે.આ કર્મચારીઓ આ ઘરો ને ભાડે આપી પોતે પૈસા ખાતાં હતાં.આવાસ ના તૈયાર ઘર માં માનફાવતું ભાળું નક્કી કરી તેને ભાડે આપતાં હતાં.
સરકારી યોજના ઓ અંતર્ગત અહીં મધ્ય વર્ગ ના લોકો માટે બજાર ના અન્ય ભાવ કરતાં થોડા છૂટછાટ વાળા ભાવમાં ઘર મળે છે.સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબોને તેમજ મધ્યમવર્ગીઓને ઘર મળી રહે તે માટે આવાસો બનાવી આપવામા આવે છે.બજારમાં જે 1 બીએચકે ફલેટની કિંમત સામાન્યત 15 થી 17 લાખ રુપિયા હોય છે. તે જ આવાસ સરકાર દ્વારા 3.5 લાખ થી લઈ 8 લાખ સુધીમા બનાવી આપવામા આવે છે.જે માટે મહાનગરપાલિકા તેમજ હાઉસીંગ બોર્ડ કાર્યરત રહે છે.આ બધી વાત કરતા પહેલા જાણી લઈએ કે આ આવાસ મેળવવાના નિતી નિયમ શું હોય છે કોને આ આવાસ લાગુ પડે છે.તો તમને જાણવી દઈએ કે આ લાભ લેવા માટે વ્યક્તિ શહેરી વિસ્તારનો રહેવાસી હોવો જરૂરી છે.જે વ્યકતિ ને આ લાભ લેવો હોય તેના પરિજનોના નામે મિલકત ન હોવી જાઇએ.
લાભાર્થીના પરિજનોની માહિતી માટે રાશન કાર્ડની નકલ આપવી જરૂરી હોય છે.લાભાર્થીની આવક નિયમો મુજબ બંધ બેસતી હોવી જાઇએ.રૂ.૨૦ના સ્ટેમ્પ પેપર પર સાંગદનામું કરવાનું હોય છે.ત્યારબાદ વ્યક્તિ ને અહીં આવાસ માં બજાર કરતા ઓછા ભાવે મકાન માડી જાય છે પરંતુ અહીં કર્મચારીઓ પોતે આમાં ગોટાળો કરી તેમની સાથે વધારે પૈસા પડાવતા અને ખાલી પડી રહેલા મકાન ને ભાડે આપી પૈસા પોતાના ખિસ્સામાં નાખતા. ત્યારે આ કાળો ચિઢ્ઢો સામે આવ્યો છે.