આવિષ્કારો પડકારો સ્વીકારે છે. પોતાની શરતો પર જીવે છે. વિશ્વમાં એવા ઘણા મહાન આવિષ્કારો થયા છે, જેમણે પોતાનો મોટાભાગનો સમય અને શક્તિ કંઈક એવુ કરવામાં પસાર કરી છે જેના વિશે સામાન્ય લોકો વિચાર પણ કરી શકતા નથી. ઘણી વખત આવિષ્કારો તેમના સર્જકોની વિચાર મુજબ પરિણામ નથી મળતું. અમે અહીં એવા મહાન આવિષ્કારોનો ઉલ્લેખ કરીશું જેમણે તેમના આવિષ્કારોથી દુનિયાને બદલી નાખી. જો કે, તેમનું મોત પણ તેમના આવિષ્કારોના લીધે જ થયું હતું.
1.ઓટો લિલિંથલ એ પહેલો વ્યક્તિ હતો જેમણે આ વિશ્વને પરિચય ગ્લાઇડર સાથે કરાવ્યો હતો.તેમને ગ્લાઈડર કિંગ પણ કહેવામાં આવે છે. તેનું મોત ગ્લાઈડિંગ ફ્લાઇટ પરીક્ષણ દરમિયાન થયું હતું. ઉડાન દરમિયાન તેમનું ગ્લાઇડર પરથી નિયંત્રણ ન રહ્યું. તે 50 ફૂટની ઉંચાઇથી નીચે પડ્યો હતો. ગંભીર ઈજાને કારણે તેનું મોત નીપજ્યું હતું.
2.જહાજનો નિર્માતા થોમસ એન્ડ્ર્યૂઝ જુનિયર એક જહાજરીન કંપનીનો મુખ્ય હતો.તેમણે પોતાની દેખરેખમાં ટાઇટેનિક જહાજનું નિર્માણ કરાવ્યું હતું. એટલાન્ટિક મહાસાગરમાં ટાઇટેનિક જ્યારે ડૂબયું ત્યારે થોમસ પણ તેની સાથે હાજર હતો તેને બચાવી શકાય તેમ ન હતું.
3.હોરેસ લૉસન હેનલી આધુનિક સબમરીનનો સર્જક કહેવામાં આવે છે.તેનું મોત તેણે બનાવેલ સબમરીન ડૂબવાના કારણે થયું હતું. તેમની સાથે આ અકસ્માતમાં અન્ય સાત લોકોનાં પણ મોત થયા હતાં.
4.ઑરેલ વ્લૈકુએ રાઇટ બ્રધર્સના કાર્યને આગળ વધારવા માટે જાણીતું છે.વ્લૈકુએ તેના પોતાના દમ પર ત્રણ વિમાનનું નિર્માણ કર્યું હતું. તેમને બનાવેલી એક વિમાનમાં પૂર્વી યુરોપના કાર્પેથિયન પર્વતમાળાની ઉડીને પાર કરવાના પ્રયાસ દરમિયાન થયેલ અકસ્માતમાં તે મૃત્યુ પામ્યો.
5.રેડીયમની શોધ સૌથી પહેલા ઉચ્ચતમ સ્તર સુધી પહોંચાડવાનું કામ સૌથી પહેલા મેડમ ક્યુરીએ કર્યું હતું.
શોધ દરમિયાન વારંવાર રેડિયમના સંપર્કમાં આવવાને કારણે તેને એનિમિયા થઈ ગયો હતો.ત્યારબાદ આ કારણોથી તેનું મૃત્યુ થઇ ગયું.
6.કેરલ સોસકે શોર્ટ એબ્જોબેન્ટ બેરલ વિકસાવી. તેની ક્ષમતાની ચકાસણી કરતી વખતે થયેલ અકસ્માતમાં તે મૃત્યુ પામ્યો.
7.અમેરિકન શોધક વિલિયમ બુલોકે પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિકારી બદલાવ લાવ્યો. પોતાની પ્રિન્ટિંગ મશીન તપાસ દરમિયાન તેનો એક પગ મશીનમાં ફસાઈ ગયો. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પગના ઓપરેશન દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
8.એલેક્ઝન્ડર બોગદાનોવ સૌથી પહેલા વિશ્વને પરિચય લોહી ટ્રાન્સફ્યુઝન રજૂઆત કરી. તેની મોત પણ આ પ્રયોગને કારણે થયું.તેને ભુલથી કોઈ બીજા ગ્રુપનું લોહી આપી દીધું હતું.
9.સબિન અર્નોલ્ડ વોન સોકીને રેડિયમ પર આધારિત રંગનો આવિષ્કાર કરવા માટે જાણીતો છે. રેડીયોધર્મી મટિરિયલના સંપર્કમાં આવવાના કારણે તે પોતાનો જીવ ગુમાવી બેઠયો હતો.
10.વેલેરીયન અવાકોવસ્કી હાઇસ્પીડ રેલકારનો આવિષ્કારક રહ્યો હતો.તેણે સૌથી પહેલાં હાઇ સ્પીડ રેલના ડબ્બામાં વિમાનનું એન્જિન લગાવીને ચલાવવાની કોશિશ કરી હતી. આ પ્રયાસમાં તે અસફળ રહ્યો હતો અને પોતાની જાન ગુમાવી બેઠયો હતો.
11.ફ્રેન્ક રિચને કોટ પેરાશૂટના નિર્માતા કહેવામાં આવે છે. તે પેરિસના આઈફિલ ટાવરથી ઉપર લઈ જઈને તે પેરાશૂટનું પરીક્ષણ કરવા ઇચ્છતો હતો. પરંતુ તે ઉડી શક્યો નહીં. તેનો આ પ્રયોગ નિષ્ફળ થયો. ખૂબ ઉચાઇથી પડવાના કારણે થયેલ ઇજાથી તેમની મુત્યુ થયું હતું.
12.હેનરી સ્મોલિંસ્કી તે પહેલો વ્યક્તિ હતો, જેને ઉડતી કારની કલ્પના કરી હતી. તેમની કારને ઉડારવાના પરીક્ષણ દરમિયાન થયેલા અકસ્માતમાં તેમનું મોત થઈ ગયું હતું.
13.માઇકલ ડેકર પણ અકસ્માતનો શિકાર થઈ ગયા હતા, જ્યારે તે ફ્લાઇંગ કારનું પરીક્ષણ કરતો હતો. તે એક અફોર્ડબલ ફલાઈનગ કાર બનાવી રહ્યો હતો.
14.જીન ફ્રાન્કવાયર રોઝિયરે પહેલી વખત હૉટ એર બલૂનની કલ્પના કરી હતી. પોતે બનાવેલ આ પ્રકારના એર બલુનમાં ઇંગ્લિશ ચેનલને ઉડતી વખતે ક્રોસિંગ દરમિયાન થયેલ અકસ્માતમાં પોતાનો તે પોતાનો જીવ ગુમાવી બેઠા હતા.
15.ઇસ્માઇલ બિન હમ્માદ અલ ઝવાહિરીએ લાકડાના બે પાંખોની મદદથી ઉડવાનો પ્રયાસ કર્યો.આ દરમિયાન થયેલ અકસ્માતમાં તેમનું મોત થઈ ગયું હતું.16.મેક્સ વલાયર પ્રવાહી આધારિત રોકેટ એન્જિનનો આવિષ્કાર કર્યો હતો. જ્યારે તે પોતાનું બનાવેલ રોકેટ એન્જિનનું પરીક્ષણ કરી રહ્યું હતું, તે દરમિયાન થયેલ વિસ્ફોટમાં તેમની મોત થઈ ગઈ હતી.
17.ધ કમ્પ્લીટ બુક ઓફ રનિંગના લેખક જીમ ફિક્સનું મોત દોડતી વખતે મોત થયું હતું.
તેમણે તેમના પુસ્તકમાં દોડવાના ફાયદાઓ વિશે લખ્યું હતું. દોડવાના શોખીન લોકો માટે આ પુસ્તક એક ધાર્મિક ગ્રંથ છે.