તાજ મહેલ ના કારણે તેની આસપાસ ના 5 ગામ ના ઘણા યુવાનો ના લગ્ન નથી થઈ રહ્યા તમને કદાચ વિશ્વાસ નઈ થાય પણ આ વાત સાચી છે આ યુવાનો ના લગ્ન નક્કી થાય છે પણ તૂટી જાય છે તેના કારણે પ્રેમ અને મહોબ્બત ની નિશાની તાજમહેલ છે.
જી હા હકીકતમાં સુપ્રીમ કોર્ટ ના એક હુકમ ના પ્રમાણે તાજમહેલ ના 5 સો મિટર ના અંદર વગર અદેશે તેની અંદર વાહન નથી જઇ શકતા અને આજ કારણે તેની આસપાસ ના ગામ નગલા પ્યારેલાલ પૈમા ગઢી બંગસ અહમદ બુખારી નગલા પ્યારેલાલ અને નગલા તલફી ના યુવાનો ના લગ્ન નથી થઈ શકતા.
કહેવામાં આવે છે કે અહીંયા માત્ર વાહનની જ સમસ્યા નથી પણ અહીંયા આવતા જતા લોકોની ખૂબ તલાસી લેવામાં આવે છે અને તેની સાથે ગામ ના મહેમાનો ને પણ લગભગ 2 કિલો મીટર સુધી ચાલી ને આવવું પડે છે તેનું આજ કારણ છે કે કોઈ પણ લોકો આ ગામ મા તેમનો સબંધ નથી બાંધવા માંગતા.
એક રિપોર્ટર ના પ્રમાણે નગલા પૈમાં ગામ ના 32 વર્ષીય અશોક નું કહેવું છે કે તેમના લગ્ન નક્કી થયી ગયા હતા પણ બાદમાં તૂટી ગયા છોકરી પક્ષ વાળાઓ એ કહ્યું હતું કે તેમને અહીંયા આવવામાં જ આટલી બધી સમસ્યાઓ પડે છે તો તેમની છોકરીને કેવી રીતે મોકલશે સમસ્યાનું કારણ એ છે કે સરકારી હુકમ ને કારણે આ ગામમાં એમ્બ્યુલન્સ પણ નથી આવતી.
આવા સમયે ગામ વાળા ઓ કહે છે કે માત્ર છોકરાઓ એકલાજ નહિ પણ છોકરીઓ ના પણ લગ્ન નથી થતા આ પાંચ ગામમાં બસો થી વધારે લગ્ન યોગ્ય છોકરીઓ છે પણ તેમના લગ્ન નથી થઈ શક્તા બીજા ગામ નો વ્યક્તિ ઓનું કહેવું છે કે તેમને આ ગામમાં જાણ લાવવામાં ઘણી સમસ્યાઓ થાય છે.
આ સમસ્યાને લઈને ગામના લોકો મુખ્ય મંત્રી સુધી ફરિયાદ કરી ચુક્યા છે જ્યાં બીજી બાજુ અમુક લોકો આ સમસ્યાને કારણે ગામને છોડી રહ્યા છે.