આપણે જો સામાન્ય રીતે રાઇનો ઉપયોગ એ ભોજનામા કરતા હોય છે જેમકે શાકભાજી અને સંભારમા અને વઘાર કરવા માટે પણ કરવામા આવે છે. રાઇ એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણી લાભદાયી અને ગુણવતા વાળી છે. રાઈના દાણા માંથી તેલ નીકળે છે. એ તેલ સરસિયા તેલ કરતાં વધુ ઉગ્ર હોય છે.
રાઈનું તેલ તીખું, હલકું, મળે ખેડનાર, ઉષ્ણ, વાયુ તેમજ માથાના અને કાનના રોગને મટાડનાર, લોહીને ખરાબ કરનાર, કૃમિ તથા દુષ્ટ વર્ણને મટાડનાર છે. ચાલો આપણે રાઈના ફાયદાઓ વિશે. સાંધાનો દુખાવો એ સમસ્યા છે જે વ્યક્તિને લાચાર બનાવે છે કારણ કે જો તમને સાંધાનો દુખાવો થાય તો તમે તમારું કોઈ પણ કામ ભલાઈથી કરી શકશો નહીં, પરંતુ જો તમે રાઇને પીસીને કપ સાથે મિક્સ કરો તો તેના પર મસાજ કરો.
તેથી તમને સાંધામાં દુખાવો નહીં થાય. ગરમ પાણીમા તમારે રાઇ ઉમેરવાથી રાઇ એ ફુલી જાય છે અને આ પાણીને નવશેકુ રાખો અને આ પાણીમા બેસવાથી તમને યૌન સંબંધિત રોગ સહિતના તમામ રોગથી રાહત મળે છે. જો કોઇને વાઇ એટલે કે આવી હોય તો તેમા રાઇને પીસીને સુંઘાડવાથી તમને રાહત મળી શકે છે. રાઇના તેલમા મીઠુ ઉમેરીને તેને મંજન કરવાથી તમને પાયોરિયા સબંધિત જેવા રોગનો નાશ થાય છે. રાઇને પીસીને મધમા તેને મિક્સ કરીને તમે સૂંઘવાથી તમને શરદી અને ઉધરસમા રાહત મળે છે.
રાઈનું એક-બે માસા ચૂર્ણ થોડી ખાંડમાં મેળવીને ખાવાથી અને ઉપર પાંચ-દસ તોલા પાણી પીવાથી અપચો અને ઉદરશૂળ મટે છે. અર્ધો તોલો વાટેલી રાઈ ને અર્ધો તોલો મીઠું ગરમ પાણીમાં મેળવીને પીવાથી ઊલટી થઈ ઝેર બહાર નીકળી જાય છે. રાઈ એક ચમચી લોટ ઠંડા પાણીમાં પીસી ચાલીસ-પચાસ તોલા પાણીમાં મેળવી પીવાથી ઉલટી થઈ ખાધેલું ઝેર બહાર નીકળી જાય છે.
રોજ રાત્રે 1 ચમચી રાઈ પાણીમાં પલાળીને રાખી દો સવારે આ પાણીને ચહેરા પર લગાવો અને 10 મિનીટ બાદ ચહેરો ધોઈ લો આમ કરવાથી ખીલ બ્લેક હેડ્સ અને ઓઈલિ સ્કીનની પ્રોબ્લેમ દુર થશે. રાઈની પેસ્ટ બનાવી વાળમાં લગાવો પછી વાળ ખારવાની સમસ્યા દુર થશે.
રાઇને તમે પીસીને પેટ પર લેપ લગાવવાથી તમને પેટમા થતા તમામ દુખાવા અને અને પેટમા આવતી તમામ મરોડથી તમને આરામ મળે છે. જો તમને કોઇ પણ જગ્યાએ દુખાવો થઇ રહ્યો છે તો તમારે એક કાપડમા રાઇ ભરીને તેની પોટલી બનાવી લો અને તેને તમે ગરમ કરી અને તેનો શેક કરવાથી તમને તમામ દુખાવામા રાહત મળે છે અને તે સિવાય તમને રાઇના લેપ એ સોજો આવ્યો હોય તે જગ્યા પર લગાવવાથી તમને સોજો પણ ઓછો થય જાય છે.