આજે વિષ્ણુજી ની કૃપાથી મકર,મેષ,અને વૃષભ રાશિઓ ને ઘણો ફાયદો થવાનો છે.અચાનક વિષ્ણું જી ની કૃપાથી આ રાશિઓ ને ઘણો લાભ થવાનો છે.વિષ્ણુ ભગવાન ની કૃપાથી આ રાશીઓના જાતકો ને ધન થી લઈને મન સુધી અનેક લાભો થવાના છે.મકર, મેષ,અને વૃષભ રાશિના જીવન માં આજથી ઘણો બદલાવ જોવા મળશે.
મકર રાશિ.
મકર રાશિ ને આજે વિષ્ણુજી ની કૃપાથી ખાસ લાભ થવાનો છે દરેક કશ તમને ફાયદો થશે.વ્યવસાયના ક્ષેત્રમાં ધન, માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. પ્રવાસથી લાભ થવાની શક્યતા રહેશે. ઉચ્ચ પદાધિકારી ખુશ રહેશે, તેનાથી પદોન્નતિના સંયોગ બનશે.સંબંધીઓથી લાભ થશે.ગૃહસ્થ જીવનમાં આનંદ અનુભવ થશે.જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. ધાર્મિક કાર્યોમાં રુચિ જાળવી રાખશો.
મેષ રાશિ.
વિષ્ણુંજી ની કૃપાથી મેષ રાશિઓ ના જાતકો ના જીવન માં ખુશીઓ આવવાની છે.આજે તમે સામાજિક અને સાર્વજનિક ક્ષેત્રમાં લોકોની પ્રશંસા પ્રાપ્ત કરી શકશો.વિષ્ણુંજી ની કૃપા તમારા પર રહેશે. કુટુંબ અને દાંપત્ય જીવનમાં સુખ અને સંતોષનો અનુભવ કરશો. વાહન સુખ મળશે.પ્રેમસંબંધોમાં થોડું અંતર રહેશે. તેનાથી સંબંધિત બાબતોને નિર્ણાયક સ્થિતિ સુધી લાવવાની આવશ્યકતા નથી. આજે આત્મવિશ્વાસ ઓછો રહેશે.
વૃષભ રાશિ.
ભગવાન વિષ્ણુ ની કૃપાથી અચાનક ધન લાભ થશે.શારીરિક-માનસિક સ્વાસ્થ્યની સાથે તમે તમારા કાર્ય નિર્ધારિત રીતે કરી શકશો.બીમાર વ્યક્તિ આજે સ્વાસ્થ્યમાં સુધારાનો અનુભવ કરશે. સાસરી પક્ષથી સારા સમાચાર મળશે.કાર્ય સ્થાન પર સહકર્મીઓનો સહયોગ મળશે.ભાઈ-બહેન, ભાઈબંધો સાથે વિચારોમાં મનમેળનો અભાવ રહેશે. સહકર્મચારીઓ સાથે પણ સંબંધમાં મતભેદ રહેશે. વ્યક્તિત્વ નબળું જણાશે.
જાણી લઈએ અન્ય રાશિઓ પાર કેવો પ્રભાવ રેહશે.
મિથુન રાશિ.
નવા કામ શરૂ કરવા માટે દિવસ અનુકૂળ નથી.જીવનસાથી અને સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂરત છે.ચર્ચા, વાદ-વિવાદ દરમિયાન માનહાનિ ન થાય, તેનું ધ્યાન રાખજો. સ્ત્રી મિત્રોની પાછળ ધન ખર્ચ થશે.કેટલીક માથાકૂટો થશે, આ સમસ્યાઓ ઉકેલવામાં પ્રભાવની નબળી સ્થિતિને કારણે મુશ્કેલીઓ આવશે, તેથી શોર્ટકટની મદદ લીધા વિના સુરક્ષિત માર્ગ પર ચાલવું.
કર્ક રાશિ.
તમારામાં આજે આનંદ અને સ્ફૂર્તિનો અભાવ રહેશે. મન ખિન્ન રહેશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. અનિંદ્રા સતાવશે. સાર્વજનિક રીતે સ્વાભિમાન ભંગ ન થાય, તેનું ધ્યાન રાખજો. ધન ખર્ચ થશે. જળાશળની પાસે ન જવું હિતાવહ છે.ધનની સ્થિતિ નબળી જણાશે, તેને મજબૂત બનાવવાનો દરેક પ્રયાસ બેકાર સાબિત થશે. માતા કે મોસાળ પક્ષના કોઈ પણ કાર્યક્રમમાં અવરોધ આવી શકે છે.
સિંહ રાશિ.
આજનો દિવસ તમારા શરીરમાં તાજગીનો અનુભવ કરશો. મિત્રોની સાથે વધુ ઘનિષ્ઠતા અનુભવ કરશો. નાનો પ્રવાસ થશે. આર્થિક લાભ મળશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. ભાગ્યવૃદ્ધિના પ્રબળ યોગ છે.અનાયાસે લાભ પ્રાપ્તિની સંભાવના રહેશે, તેથી રિસ્ક લેવાની કોશિશ કરશો. જોકે લક્ષ્ય અંગે ગંભીરતા નહિ રહે.
કન્યા રાશિ.
પરિવારમાં સુખ-શાંતિનો માહોલ જળવાઈ રહેશે. આજે તમારી મધુરવાણીનો જાદુ બીજાને પ્રભાવિત કરશે. પ્રવાસની શક્યતા છે. વેપારમાં સારી સફળતા મળશે.મન અનુકૂળ ખર્ચનું વાતાવરણ તૈયાર થશે. શોપિંગ કરવાથી આનંદિત રહેશો, કોઈ બહારની વ્યક્તિ કે બહારની જગ્યાથી લાભ થઈ શકે છે.
તુલા રાશિ.
આજે તમારી રચનાત્મક શક્તિઓ સામે આવશે. વૈચારિક દ્રઢતાથી તમારા કાર્ય સફળ રહેશે. અલંકાર, વસ્ત્રના સાધન અને મનોરંજનની પાછળ ખર્ચ થશે. આત્મવિશ્વાસ વધશે.તમારે માત્ર તમારી સમસ્યાઓ પર જ ધ્યાન આપવાનું રહેશે, બીજા લોકોની સમસ્યામાં પડવાથી તમને જ નુકસાન થઈ શકે છે.
વૃશ્વિક રાશિ.
આજે દિવસના સમયે આનંદ-પ્રમોદ અને મનોરંજન પાછળ રૂપિયા ખર્ચ કરશો. માનસિક ચિંતા અને શારીરિક તકલીફોથી મુશ્કેલી થશે. બેકાબુ વાણી કે વ્યવહાર ઝઘડાનું કારણ બની શકે છે. લોકોથી અણબનાવ થઈ શકે છે.કાર્ય ક્ષેત્રમાં પણ વિપરીત સ્થિતિઓનો સામનો કરવો પડશે. ઉત્તરાર્ધમાં કેટલાક સુધાર આવશે અને તમે રાહતનો શ્વાસ લઈ શકશો.
ધન રાશિ.
આજનો દિવસ તમારા માટે લાભદાયક રહેશે. ગૃહસ્થજીવનમાં સુખ-શાંતિ રહેશે. પ્રિય વ્યક્તિની સાથે મિલન યાદગાર રહેશે. પ્રેમની સુખદ ક્ષણનો આનંદ લઈ શકશો. આવકના સ્ત્રોત વધશે. ઉચ્ચ પદાધિકારી અને વૃદ્ધોની કૃપાદ્રષ્ટિ રહેશે.શરૂઆતમાં પરિવારના સભ્યો સાથે મતભેદ અને વિવાદ વધશે. નાણાંનો વ્યય અને લાભમાં કમીને કારણે માનસિક અશાંતિ રહેશે.
કુંભ રાશિ.
શારીરિક અસ્વસ્થતા રહેવા પર પણ માનસિક સ્વસ્થતા જળવાઈ રહેશે. કામ કરવાનો ઉત્સાહ ઓછો રહેશે. નોકરીમાં ઉચ્ચ પદાધિકારીઓથી સંભાળીને રહેવું પડશે. મોજ-શોખ અને હરવા-ફરવામાં ધન ખર્ચ થશે. સંતાન સંબંધમાં ચિંતા રહેશે.તમારી કોઈ પણ લાપરવાહી કે ભૂલને કારણે પરિવારમાં અશાંતિ વધી શકે છે. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
મીન રાશિ.
આકસ્મિક ધન લાભના યોગ છે. માનસિક અને શારીરિક શ્રમને કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. શરદી, શ્વાસની તકલીફ, ઉધરસ અને પેટના દુખાવાની ફરિયાદ થઈ શકે છે. ખર્ચમાં વૃદ્ધિ થશે. જળાશયતી દૂર રહેવામાં સુરક્ષા છે.તમે પણ સ્વાસ્થ્ય નુકસાન અને શારીરિક પીડિથી ગ્રસ્ત રહી શકો છો. સ્થાન પરિવર્તનનો પણ યોગ છે. ધન ખર્ચ અને માનસિક ઉદ્વેગ રહી શકે છે